અહો આશ્ચર્યમ! આ નદીનું પાણી છાંટવાથી ભાઈ-બહેન બની જાય છે પતિ-પત્ની

Sat, 28 Sep 2024-3:21 pm,

ધુરવા આદિવાસી સમાજમાં લગ્નને લઈને આ પ્રથા છે કે ભાઈ-બહેનના લગ્ન કરાવવામાં આવે છે. જો આવું ના કરવા પર તેમના પર દંડ લાગી શકે છે. જોકે, આ પરંપરાને ખતમ કરવાની માંગ સમાજની અંદર પણ હવે ઉઠી રહી છે.

ધુરવા સમાજમાં પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચે લગ્ન કરાવવાનો રિવાજ છે. આ લોકો બાલ વિવાહને પણ માને છે. આ લોકો અગ્નિને સાક્ષી માનતા નથી પરંતુ પાણીને સાક્ષી માનીને તમામ રસ્મો નિભાવે છે. આ પરંપરા ઘણા લાંબા સમયથી ચાલી આવી છે. પ્રકૃતિને દેવી માનનારા આ લોકો લગ્નપ્રસંગમાં બિલકુલ ખોટા ખર્ચા કરતા નથી.  

આ લોકો કાંકેર નદી જે વિસ્તારમાં વહે છે તેણે માતા માને છે અને તેણે સાક્ષી માનીને લગ્ન કરે છે. રસ્મમાં માત્ર દુલ્હા-દુલ્હન પર નદીનું પાણી છાંટવામાં આવે છે અને લગ્નની રસ્મ પુરી થઈ જાય છે.

ખાસ વાત એ છે કે આ સમાજમાં દહેજ પર પ્રતિબંધ છે. પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચે લગ્ન એટલા માટે કરાવવામાં આવે છે કે દહેજ આપવું ના પડે.

દુલ્હા-દુલ્હન બાળપણથી એક બીજાને જાણે અને સમજે છે અને પછી ગૃહસ્થ જીવન જીવે છે. આ પરંપરાને નિભાવનાર ધુરવા સમાજ છત્તીસગઢના સ્થાનિક નિવાસી માનવામાં આવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link