IRCTC લાવ્યું ચારધામ યાત્રાનું ધાંસૂ પેકેજ! સસ્તામાં ફ્લાઇટથી કરો યાત્રા, આટલી મળશે છૂટ

Sat, 16 Sep 2023-8:21 pm,

12 રાત અને 13 દિવસના આ પેકેજની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે. આ પેકેજ માટે સૌથી પહેલા ચેન્નઈથી યાત્રિકોને દિલ્હી લઈ જવાશે. એકવાર બુકિંગ કન્ફર્મ થયા બાદ જે કાર્યક્રમ બનશે તે હેઠળ તમને 19 સપ્ટેમ્બરે ચેન્નઈ એરપોર્ટથી સવારે 8.40 કલાકની ફ્લાઇટ બોર્ડ કરવી પડશે.   

પ્રથમ દિવસે ચેન્નઈથી ફ્લાઇટ દ્વારા 19 સપ્ટેમ્બરે સવારે 11 કલાકે દિલ્હી પહોંચશો. ત્યાંથી તમે હરિદ્વાર રવાના થશો. જ્યાં પ્રથમ દિવસે રહેવાની વ્યવસ્થા હશે. બીજા દિવસે નાસ્તો કરી બારકોટ જશો. ત્યાં હોટલમાં ચેકઇનની સાથે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની વ્યવસ્થા હશે. ત્રીજા દિવસે સવારે બ્રેકફાસ્ટ બાદ તમે હનુમાનચટ્ટી માટે રવાના થશો. 

હનુમાનચટ્ટી પહોંચ્યા બાદ તમે યમુનોત્રી માટે રવાનો થશો. ત્યાં દર્શન બાદ પરત બારકોટ આવશો અને રાત્રિ રોકાણ કરશો. 

ચોથા દિવસે નાસ્તો કર્યા બાદ તમે ઉત્તરકાશી માટે રવાના થશો. ઉત્તરકાશી પહોંચ્યા બાદ હોટલમાં ચેકઇન થશે. સાંજે તમે આરામ કરી શકશો. રાત્રે રોકાવાની વ્યવસ્થા ઉત્તરકાશીમાં થશે. પાંચમાં દિવસે નાસ્તા બાદ તમે ગંગોત્રી માટે રવાના થશો. ત્યાં દર્શન બાદ પરત ઉત્તરકાશી આવશો. છઠ્ઠા દિવસે ઉત્તરકાશીથી તમે ગુપ્તકાશી માટે રવાના થશો. ત્યાં નાઇટ સ્ટે રહેશે. 

સાતમાં દિવસે તમે ગુપ્તકાશીથી સોનપ્રયાગ માટે નિકળશો. ત્યાં જીપથી તમે ગૌરીકુંડ પહોંચશો. પછી તમારા કેદારનાથ ટ્રેકની શરૂઆત થશે. બાબા કેદારના શુભ દર્શન બાદ પરત ગૌરીકુંડ આપશે અને ત્યાંથી સોનપ્રયાગ પહોંચશે. આઠમાં દિવસે ગુપ્તકાશીના સ્થાનીક મંદિરોના દર્શન કરી શકશો. 9માં દિવસે નાસ્તા બાદ તમે પાંડુકેશ્વર માટે રવાના થશો. ત્યાં હોટલ ચેકઇન કરશો અને રાત્રિ રોકાણ થશે. 

10મા દિવસે નાસ્તો કર્યા પછી, તમે બદ્રીનાથ માટે રવાના થશો. ત્યાં તમે સવારની પૂજામાં ભાગ લેશો. પછી લંચ પછી તમે માયાપુર માટે રવાના થશો. જ્યાં હોટેલ ચેક-ઈન પછી રાત્રિ રોકાણ અને રાત્રિભોજન થશે. 11મા દિવસે, નાસ્તો કર્યા પછી, દેવપ્રયાગ તરફ પ્રયાણ કરશે, જ્યાં તમે રઘુનાથજી મંદિરની મુલાકાત લઈ શકશો. પછી તમે ઋષિકેશ જવા રવાના થશો. રામ ઝુલા અને લક્ષ્મણ ઝુલા ત્યાં મુલાકાત લેશે. આગળ તમે પાછા હરિદ્વાર પહોંચશો. જ્યાં તમારા રાત્રિ રોકાણ અને ભોજનની વ્યવસ્થા ત્યાં કરવામાં આવશે. 12મા દિવસે, નાસ્તો કર્યા પછી, તમે સ્થાનિક સ્થળોની મુલાકાત લઈ શકશો. સાંજે તમે ગંગા આરતીમાં ભાગ લઈ શકશો. 12માં દિવસે પણ તમે હરિદ્વારમાં રાત્રિ રોકાણ કરશો. બીજા દિવસે તમે હરિદ્વારથી દિલ્હી જવા રવાના થશો. દિલ્હી પહોંચ્યા પછી, તમે ફ્લાઇટ દ્વારા ચેન્નાઈ માટે રવાના થશો.

તો તમે એકનું બુકિંગ કરાવી રહ્યાં છો તો તમારે 74100 રૂપિયા ખર્ચ કરવા પડશે. બે લોકોના બુકિંગમાં તમને છૂટ મળશે. ત્યારે તમારે પ્રતિ વ્યક્તિ 61500 રૂપિયા ખર્ચ કરવા પડશે. ત્રણ લોકોના બુકિંગ પર પ્રતિ વ્યક્તિ માત્ર 60100 રૂપિયા આપવા પડશે. આ રીતે ત્રણ ટિકિટ લેવા પર તમને 14000 રૂપિયાની છૂટ મળશે. પેકેજ માટે IRCTCની વેબસાઇટ પર મુલાકાત લઈ શકો છો. આ સિવાય તમે 08287931974, 08287931968 , 09003140682 આ નંબરો પર ફોન કરી જાણકારી મેળવી શકો છો.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link