50 વર્ષ બાદ ચતુર્ગ્રહી યોગ બનવાથી આ જાતકોની ધન-સંપત્તિ વધશે, સૂર્ય અને બુધ ગ્રહની રહેશે અસીમ કૃપા

Tue, 30 Jul 2024-3:50 pm,

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરી ત્રિગ્રહી અને ચતુર્ગ્રહી યોગ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં બુધ અને સૂર્ય સિંહ રાશિમાં સ્થિત રહેશે. ત્યારબાદ ચંદ્રમા અને શુક્ર પણ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી સિંહ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનશે. આ યોગનો પ્રભાવ દરેક રાશિઓ પર જોવા મળશે, પરંતુ ત્રણ જાતકો એવા છે જેને આ સમયે ભાગ્યનો સાથ મળી શકે છે. આ જાતકોની ધન-સંપત્તિ વધી શકે છે. આવો જાણીએ આ રાશિઓ કઈ છે. 

તમારા લોકો માટે ચતુર્ગ્રહી યોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. તમારી લોકપ્રિયતામાં વૃદ્ધિ જોવા મળશે. કરિયરની દ્રષ્ટિએ સૂર્ય અને શુક્ર તમારા માટે લાભકારી સાબિત થશે. આ દરમિયાન તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. લોકો તમારી સલાહ લેવાનું પસંદ કરશે. તો પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. તમને જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે.

ચતુર્ગ્રહી યોગ બનવાથી તમારા લોકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમે કામ-કારોબારમાં ખુબ પ્રગતિ કરશો. સાથે તમારી નિર્ણય લેવાની ક્ષમતા સારી રહેશે, જેનો લાભ તમારા કરિયરમાં જોવા મળશે. નોકરી કરનાર જાતકોનું પ્રમોશન થઈ શકે છે. આ દરમિયાન વેપારીઓને કારોબારમાં સારો લાભ થઈ શકે છે. તમારા વેપારનો વિસ્તાર થઈ શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેને નવી નોકરી મળી શકે છે.

તમારા લોકો માટે ચતુર્ગ્રહી યોગ લાભદાયક સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી ધન અને વાણી ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. આ સમય તમને ધન સંપત્તિ લાભ અપાવનાર સાબિત થશે. તમે આ દરમિયાન વાહન કે ઘર ખરીદી શકો છો. આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ સમયે તમારી કામ કરવાની શૈલીમાં નિખાર આવશે. આ સમયે નોકરી કરનાર જાતકોનું પ્રમોશન થઈ શકે છે. 

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link