Chaturmas 2024 Rashifal: દેવ પોઢી જશે પણ આ રાશિઓનું ભાગ્ય જાગી જશે, જાણો ચાતુર્માસ કઈ કઈ રાશિ માટે શુભ

Wed, 03 Jul 2024-7:16 pm,

17 જુલાઈએ દેવશયની એકાદશીથી ભગવાન યોગ નિંદ્રામાં પોઢી જશે. ત્યાર પછી 12 નવેમ્બર 2024 ના રોજ ભગવાન જાગશે. જો કે 17 જુલાઈથી 12 નવેમ્બર સુધીનો સમય 4 રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ હશે. 

મેષ રાશિના લોકો માટે ચાતુર્માસ કારકિર્દીમાં સફળતા અપાવનાર સાબિત થશે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ સુધરશે અને જીવનમાં સકારાત્મકતા આવશે.. સુખમાં વધારો થશે. વેપારીઓ માટે સમય શુભ. 

દેવશયની એકાદશીથી વૃષભ રાશિના લોકોનો ગોલ્ડન પિરિયડ પણ શરૂ થશે. બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. નવી નોકરી પણ મળી શકે છે. આવકમાં વધારો થશે. કારકિર્દી માટે શુભ સમય. 

સિંહ રાશિના લોકો માટે પણ ચાર મહિના ફળદાયી રહેશે. આ સમય દરમિયાન કોઈ મોટું અને મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે. ધન, પદ અને પ્રતિષ્ઠા વધશે. આવકમાં વધારો થશે. આર્થિક બાબતો માટે સમય સારો. 

કન્યા રાશિ પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થવાની છે. આ રાશિના લોકોને મોટો ધન લાભ થઈ શકે છે. ઉન્નતિના રસ્તા ખુલશે. રોકાણ માટે પણ સારો સમય. રોકાણથી રિર્ટન સારું મળશે. નોકરી અને વેપાર માટે લાભદાયી સમય.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link