Coconut Water: આ 3 બીમારીમાં દર્દીને નાળિયેર પાણી પીવડાવવું નહીં, થાય છે ગંભીર નુકસાન

Sun, 06 Oct 2024-12:23 pm,

નાળિયેર પાણીમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે તેથી જ્યારે પણ નાળિયેર પાણી પીવામાં આવે તો શરીરને તુરંત એનર્જી મળે છે. પરંતુ વધારે માત્રામાં નાળિયેર પાણી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ બગાડી શકે છે. 

આયુર્વેદમાં પણ નાળિયેર પાણી પીવાના કેટલાક નિયમો જણાવેલા છે. કેટલીક બીમારીમાં નાળિયેર પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે. આ બીમારીઓમાં નાળિયેર પાણી પીવાથી તબિયત વધારે બગડી શકે છે. 

નાળિયેર પાણી પીવાથી હાઈ બ્લડ પ્રેશર સંતુલિત કરવામાં મદદ મળે છે. પરંતુ વધારે માત્રામાં નાળિયેર પાણી પી લેવાથી બ્લડ પ્રેશર લો પણ થઈ શકે છે જે એક ગંભીર સ્થિતિ છે. 

ડાયાબિટીસના દર્દીઓએ વધારે માત્રામાં કે વારંવાર નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ. તેનાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે અને કિડની અને નુકસાન થાય છે. 

વધારે માત્રામાં નાળિયેર પાણી પીવાથી પેટ સંબંધિત સમસ્યા થાય છે. જે લોકોને પાચન સંબંધિત સમસ્યા હોય તેઓ નાળિયેર પાણી વધારે પીવે તો ડાયરિયા કે પેટમાં દુખાવો થઈ શકે છે. તેથી આવા લોકોએ નાળિયેર પાણી ખૂબ જ ઓછી માત્રામાં પીવું જોઈએ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link