દિવાળી બાદ શુક્ર-શનિની બનશે યુતિ, નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો, દરેક ક્ષેત્રમાં મળશે લાભ

Mon, 14 Oct 2024-11:33 am,

વૈદિક જ્યોતિષ અનુસાર આ વર્ષે દિવાળી 31 ઓક્ટોબરે છે. તો તમને જણાવી દઈએ કે દિવાળી બાદ શુક્ર અને શનિની યુતિ બનવા જઈ રહી છે. આ યુતિ 30 વર્ષ બાદ બનશે. કારણ કે શનિ દેવે 30 વર્ષ બાદ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. તેવામાં શનિ અને શુક્રની આ યુતિ કેટલાક જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. સાથે આ રાશિઓને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. કરિયરમાં પણ પ્રગતિ કરશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.  

તમારા લોકો માટે શુક્ર અને શનિની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહી છે. આ દરમિયાન તમારી કાર્યશૈલીમાં નિખાર આવસે. સાથે તમારી પર્સનલ લાઇફ પણ સારી રહેશે. તમને પાર્ટનરનો સહયોગ મળશે. આ સમયે તમારા જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. સાથે આ સમયે ભાગીદારીથી કામ કરવામાં લાભ મળશે. જે લોકોએ લગ્ન કર્યા નથી તેને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. આ સમયે તમારી પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. આ સમયે શનિના શુભ પ્રભાવથી સુખ સુવિધામાં વધારો થશે અને જીવનના દરેક ક્ષેત્રમાં ફાયદો થશે.  

શુક્ર અને શનિની યુતિ મિથુન રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના નવમ ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી સકે છે. આ સમયે તમારા અટવાયેલા કાર્યો થઈ જશે. આ સમયમાં વિદેશ યાત્રા કે વિદેશી નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયાસ સફળ થશે. સાથે વેપારીઓને ધનલાભ થઈ શકે છે. નોકરી કરનાર જાતકોની કાર્યશૈલીમાં સુધાર આવશે અને કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. આ દરમિયાન તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.  

તમારા લોકો માટે શુક્ર અને શનિદેવનો સંયોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર બની રહ્યો છે. આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે આ સમયમાં તમે નોકરીમાં ફેરફાર કરી શકો છો અને ઘણા પ્રતિષ્ઠિત લોકો સાથે તમારી ઓળખ વધશે. કારોબારીઓને રોકાણથી લાભ થશે. સાથે આ સમયમાં મહત્વપૂર્ણ વ્યાવસાયિક ડીલ થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં લાભ મળશે.

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link