B.1.617 વેરિએન્ટ પણ છે Corona કહેર માટે જવાબદાર, WHO આપી ચેતવણી

Mon, 10 May 2021-5:22 pm,

ભારતમાં ઝડપથી ફેલાતા B.1.617 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને (Dr Soumya Swaminathan) એ ચેતવણી આપી છે. એએફપીએ આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું છે કે ભારતમાં આજે આપણે મહામારીના જે પાસા જોઇ રહ્યા છીએ તે દર્શાવે છે કે, તે ખૂબ જ ઝડપથી ફેલાતો એક વેરિએન્ટ છે.

સ્મશાનગૃહથી લઇને રસ્તાઓ સુધી સળગી રહેલી ચિતાઓ અને ભારે બોજવાળી હોસ્પિટલોની સ્થિતિને જોત ઘણા નિષ્ણાતોને શંકા છે કે સત્તાવાર મોત અને કેસ ઓછા બતાવવામાં આવી રહ્યા છે. તેની સંખ્યા પણ વધુ હોઈ શકે છે.

કોરોના વાયરસનો આ વેરિએન્ટ B.1.617 ગત વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં સામે આવ્યો હતો. તેને લઇને ક્લિનિકલ વૈજ્ઞાનિક સ્વામીનાથનનું કહેવું છે, B.1.617 વેરિએન્ટ સ્પષ્ટ રીતે ભારતમાં વિનાશનું મુખ્ય કારણ હતું. આ ભારતમાં ફેલાઈ રહેલા વેરિએન્ટમાં સૌથી ઝડપથી ફેલાતો વેરિએન્ટ હોઇ શકે છે.

WHO એ તેને હાલમાં જ 'વેરિએન્ટ ઓફ ઇન્ટેરેસ્ટ'ના રૂપમાં સૂચિબદ્ધ કર્યો છે. સ્વામીનાથનના જણાવ્યા અનુસાર આ વેરિએન્ટ તેમના મૂળ રૂપ કરતાં વધારે જીવલેણ અને સંક્રામક છે. આ વેરિએન્ટ વેક્સીન લઇ ચુકેલા લોકોને પણ સંક્રમિત કરી શકે છે.

અમેરિકા અને યુકે સહિતના ઘણા નેશનલ હેલ્થ ઓથોરિટીઝ આ વેરિએન્ટને લઇને ચિંતા વ્યક્ત કરી છે. સ્વામીનાથનનું કહેવું છે કે, તેના કેટલાક મ્યૂટેશન એવા છે જે ટ્રાન્સમિશનને વધારી શકે છે અને વેક્સીન અથવા નેચરલ ઇન્ફેક્શન બાદ એન્ટીબોડીઝને બનાવવાથી અટકાવે છે.

સ્વામિનાથન કહે છે કે ભારતમાં વિકટ પરિસ્થિતિ માટે ફક્ત B.1.617 વેરિએન્ટ જ જવાબદાર નથી. પરંતુ લોકોના ટોળા, પ્રોટોકોલના પાલનમાં નબળાઈ જેવા કારણો પણ જવાબદાર છે.

ખાસ કરીને માસ્ક ન લગાવવું સૌથી વધારે ભારે પડ્યું. પ્રથમ લહેર બાદ લોકોને લાગ્યું કે, કોરોના વાયરસનું સંક્ટ સમાપ્ત થઈ ગયું છે અને તેમણે સુરક્ષા પગલાં અપનાવવાનું બંધ કર્યું.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં 16 જાન્યુઆરીથી સામૂહિક વેક્સીનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્વામિનાથન, તેમ છતાં, કહે છે કે સંક્રમણને ફક્ત વેક્સીનેશન (Vaccination) દ્વારા રોકી શકાતો નથી. સલામતીનાં પગલાંનું પાલન ખૂબ મહત્વનું છે. હજી સુધી દેશની માત્ર 2 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, આખી વસ્તીને રસી આપવામાં ઘણો સમય લાગશે. તેથી, આ સમય દરમ્યાન સાવચેતી રાખવામાં લેપ્સેસ ખૂબ નુકસાન પહોંચાડે છે.

સ્વામિનાથન કહે છે 'જ્યારે કેસો અને મૃત્યુનો વધારો ભયજનક છે, સંક્રમણના કેસોમાં વધારાની સાથે, ખતરનાક સ્વરૂપોના ઉદભવની સંભાવના પણ વધે છે. તેમજ પરિવર્તનથી જોખમની સંભાવના પણ વધશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link