હવે ચૂંટણી પ્રચારમાં ચાલશે ચેતેશ્વર પૂજારાનો જાદુ, લોકોને મતદાનની કરશે અપીલ

Sun, 08 Nov 2020-3:02 pm,

હિન્દી ભાષામાં મોકલેલ વીડિયો પસંદ થતા હવે દેશભરના મતદારોને મતદાન કરવા ચેતેશ્વર પુજારાના વીડિયો મારફત અપીલ કરવામાં આવશે. ગુજરાતની સાથે સાથે હવે દેશના મતદારોને યૂથ આઇકોન ચેતેશ્વર પુજારા મતદાન માટે અપીલ કરશે.

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન અંગે અપીલ કરતા વીડિયોમાં પૂજારાએ મતદારોને કોરોના અંગે પણ જાગૃતિ રાખવા લોકોને અપીલ કરી હતી. જે પણ કેન્દ્રીય ચૂંટણી પંચને પસંદ આવતા તેમને આગામી ચૂંટણીમાં યૂથ આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, ગત લોકસભાની ચૂંટણી સમયે પણ ચેતેશ્વર પૂજારા યૂથ આઇકોન તરીકે રહ્યા હતા અને યુવા મતદારોને મતદાન અંગે જાગૃતતા લાવવા અને સાચી સમજ આપવા પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓ અલગ અલગ સ્થળ પર કોલેજના યુવાનો સાથે ચાય પે ચર્ચા કરી યુવાનોના ચૂંટણી લક્ષી સવાલોના જવાબ આપ્યા હતા અને મતદાન કરવા અંગે શપથ લેવડાવ્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link