ચક્રવાત ફાની: IPSએ લોકોને હાથ જોડીને કહ્યું, `તોફાન આવે તે પહેલા જતા રહો સુરક્ષિત સ્થળો પર`

Fri, 03 May 2019-10:23 am,

ચક્રવાત ફાની ટકરાયું તે અગાઉ સમગ્ર પ્રશાસન લોકોને સમુદ્રમાં અને કાંઠા વિસ્તારોમાં ઊભી થઈ રહેલી ભયાનક સ્થિતિ અંગે લોકોને જાણ કરી રહ્યું છે. ચક્રવાતના કારણે ઓડિશા, આંધ્ર  પ્રદેશ, અને પશ્ચિમ બંગાળના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવામાં આવી રહ્યાં છે. બ્રહ્મપુરના એસપી, આઈપીએસ પિનક મિશ્રા વરસાદમાં જ લોકોના ઘરે ઘરે જઈને તેમને સુરક્ષિત સ્થળે જવા માટે ભલામણ કરી રહ્યાં છે. 

ફાનીને પહોંચી વળવા માટે એનડીઆરએફની 81 ટીમો તહેનાત કરાઈ છે. આ ટીમોમાં ચાર હજારથી વધુ વિશિષ્ટ કર્મીઓ સામેલ છે. ચક્રવાત ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને પ્રભાવિત કરે તેવી આશંકા છે. એનડીઆરએફના પ્રમુખ એસએન પ્રધાને જણાવ્યું કે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ 50 ટીમ પહેલેથી તહેનાત છે. જ્યારે 31 ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે. ઓડિશામાં પુરીની આસપાસ અત્યાધુનિક સાધનસામગ્રીથી લેસ 28 ટીમો તહેનાત છે. 

આ જ રીતે આંધ્ર પ્રદેશમાં 12 ટીમો અને પ.બંગાળમાં છ ટીમો તહેનાત છે. બાકીની ટીમો કે જેમા પ્રત્યેક ટીમમાં લગભગ 50 કર્મીઓ સામેલ છે તેમને આ રાજ્યોમાં તહેનાત કરાયા છે. ટીમો વધારાની બોટ, સેટેલાઈટ ફોન, ચિકિત્સક સાધનો, દવાઓ, પિકઅપ વાહનો, અન્ય ગેઝેટ્સથી લેસ છે. (તસવીર-સાભાર આઈએએનએસ)

શુક્રવાર સવારે પુરીના દરિયા કાંઠાના વિસ્તારોમાં તોફાન ટકરાઈ ચૂક્યું છે. બપોર સુધીમાં ત્યાં રહે તેવી શક્યતા છે. પુરીમાં આ ઓડિશામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ ચાલુ છે. સરકારે 11 લાખ લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે.  (તસવીર-સાભાર રોયટર્સ)

આ તોફાન પુરીની પાસે દરિયાકાંઠે સવા 9 વાગે ટકરાયું છે. અત્યંત પ્રચંડ ચક્રવાતની ઓડિશાના તટ પર ટકરાવવાની પૂરી પ્રક્રિયા 4-5 કલાક સુધી ચાલશે.   

ચક્રવાત ફાનીના કારણે ઓડિશામાં આગામી બે દિવસ ટ્રેન અને વિમાન સેવાઓ સંપૂર્ણ રીતે બંધ રહેશે તેવી આશંકા છે. લગભગ બે દાયકાનું સૌથી શક્તિશાળી આ તોફાન શુક્રવારે ઓડિશાના દરિયાકાંઠે ટકરાયું. કોલકાતા-ચેન્નાઈ માર્ગ પર 220થી વધુ ટ્રેનો શનિવાર સુધી રદ કરાઈ છે. ઉડ્ડયન નિયામક ડીજીસીએ જાહેરાત કરી કે ભુવનેશ્વર એરપોર્ટ પર વિમાનોની અવરજવર શુક્રવારે બંધ રહેશે. આ સાથે જ અલગ અલગ ડોમેસ્ટિક એરલાઈન્સનું સંચાલન પણ પ્રભાવિત થયું છે. ચક્રવાતથી પ.બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તામિલનાડુ પણ પ્રભાવિત થવાની સંભાવના છે. (તસવીર-આઈએએનએસ)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link