વાવાઝોડું ત્રાટક્યું : રેમલ વાવાઝોડાએ એન્ટ્રી લેતા જ તબાહી મચાવી, ગુજરાતમાં પણ દેખાવા લાગી અસર

Mon, 27 May 2024-11:44 am,

પશ્ચિમ બંગાળના કાંઠે રેમલ વાવાઝોડું ટકરાયું છે. રેમલ વાવાઝોડાના કારણે બંગાળથી ઓડિશા સુધી અસર જોવા મળી છે. પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તોફાની અને ભારે પવન સાથે ચોમેર વરસાદ વરસી રહ્યો છે. એટલું જ નહિ,  120થી 135 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ પતરા-વૃક્ષો ધરાશાયી થયા છે. પશ્ચિમ બંગાળ, ઓડિશામાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. (Image : India Meteorological Department) 

પશ્ચિમ બંગાળના કાંઠે 'રેમલ' ચક્રવાત ટકરાયું છે. હાલ સ્થિતિ એવી છે કે, દેશના બે રાજ્ય પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામં 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ છે. ત્યારે ગુજરાતમાં પણ વાવાઝોડાની અસરને પગલે વરસાદની આગાહી છે.

એકંદરે, તે સ્પષ્ટ છે કે ચક્રવાત રેમાલ બનશે. પરંતુ, તે ક્યાં ઉતરશે? બાંગ્લાદેશ કે પશ્ચિમ બંગાળનો દરિયાકિનારો, તેની સૌથી વધુ અસર ક્યાં થશે અથવા તેની તાકાત અથવા કેટલી હશે? તે હજુ સ્પષ્ટ નથી. નોંધ કરો કે રેમલ એટલે રેતી. તે અરબી શબ્દ છે. આ નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે. 

દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે.  (Image : India Meteorological Department) 

આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે.

પશ્ચિમ બંગાળમાં ચક્રવાત રેમલને લઇ સુરત-કોલકાતાની આજની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ચક્રવાતની ગંભીર સ્થિતિને લઇ કોલકાતા એરપોર્ટ બંધ કરાઈ છે. ફ્લાઇટ દર સોમવારે 8:35 એ સુરતથી ઉડાન ભરે છે. આગામી 21 કલાક સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્યણ લેવામાં આવ્યો છે. તમામ મુસાફરોને મેસેજ કરી જાણકારી અપાઈ છે. 

આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.આસામ, મોઘાલયમાં પણ અતિભારે વરસાદ રહેશે. વાવાઝોડના કારણે કોલકાતામાં અનેક જગ્યાએ વીજળી ઠપ્પ થઈ છે.

ગુજરાતમાં ગઈકાલે રાતે, ભાવનગર, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ વિસ્તારારોમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. કોલકાતામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ બંગાળમાં 1 લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત એક્શનમાં છે. પીએમ મોદીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. (Image : India Meteorological Department) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link