PHOTOs: સુખી સંપન્ન પરિવારના પાટીદાર યુવાને શરૂ કર્યું નવું સ્ટાર્ટઅપ, હવે દિલ્હીના દહી ભલ્લાનો સ્વાદ અમદાવાદમાં મળશે

Sat, 11 Mar 2023-7:49 pm,

આજના ભણેલા ગણેલા યુવાનો કામ બાબતે એક ચોક્કસ પસંદગી રાખતા હોય છે. કેટલાક કામ કરતા શરમાતા હોય છે પરંતુ વ્રજ પટેલે કે જેણે વર્ષ 2020માં IT એન્જીનીયરીંગ પૂર્ણ કર્યું ત્યારબાદ કાંઈક જુદું કરવાની ઈચ્છા સાથે તેણે દહીં ભલ્લાની લારી શરૂ કરી. વ્રજ પટેલની વાત કરીએ તો પરિવારમાં તેના પિતા બેંકમાં વાઇસ ચેરમેન છે, માતા શાળામાં પ્રિન્સિપાલ છે, ભાઈ એન્જીનિયર છે અને બહેન વિદેશમાં ડોક્ટર છે.   

સુખી સંપન્ન પરિવારના આ યુવાને ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે કંઈક અલગ કરવું હતું, પોતાની ઓળખ બનાવવી હતી. જેના કારણે એક સ્ટાર્ટ અપ શરૂ કરવાનું વિચાર્યું અને અમદાવાદમાં ભાડે રહીને દહીં ભલ્લાની લારી શરૂ કરી છે. કદાચ IT એન્જીનીયરીંગ પૂરું કર્યા બાદ જો નોકરી કરતો હોત તો અત્યારે જેટલું કમાઈ શકું છું એટલું ના કમાઈ શક્યો હોત. 

તેમણે જણાવ્યું હતું કે, જે કામ કરી રહ્યો છું, એમાં સ્વતંત્ર છું અને ભવિષ્યમાં વધુ મહેનત કરીને આગળ વધિશું એવી અપેક્ષા છે. શરૂઆતમાં દહીં ભલ્લાની લારી શરૂ કરી ત્યારે પરિવાર પણ નારાજ હતો પરંતુ હવે મારી મહેનત અને સફળતા જોઈને પરિવાર પણ ખુશ છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link