તમે રાતોરાત અમીર બની જશો! આ વસ્તુને દહીંમાં મિક્સ કરીને સ્નાન કરો

Sat, 14 Oct 2023-10:32 pm,

હિન્દુ ધર્મમાં દહીંનો ઉપયોગ શુભ કાર્યોમાં કરવામાં આવે છે. પૂજા-પાઠમાં ભગવાનને ભોગ લગાવવા માટે પંચામૃતમાં દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ભગવાનને દહીંથી સ્નાન કરાવવુ શુભ માનવામાં આવે છે. 

 

માન્યતા છે કે કોઈ શુભ કામ માટે નિકળતા પહેલા દહીં ખાયને બહાર નિકળો. હિન્દુ ધર્મમાં દહીંને શુભ માનવામાં આવે છે. વાસ્તુમાં દહીં સાથે જોડાયેલા ટોટકા અને ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે, જેનાથી જીવનમાં દરેક સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 

 

જો કોઈ વ્યક્તિ આર્થિક સમસ્યાથી પરેશાન છે તો તેણે ભગવાન શિવનો દહીંથી અભિષેક કરવો જોઈએ. ભગવાન શંકરને દૂધની સાથે દહીંથી સ્નાન કરાવવાથી આર્થિક સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 

 

જો તમને વારંવાર નિષ્ફળતા મળી રહી છે તો શુભ કામને શરૂ કરતા પહેલા માથા પર દહીં અને ચોખાનું તિલક લગાવી નિકળો, તેનાથી તમારૂ કામ થઈ જશે અને જીવનમાં સફળતા મળશે. 

કુંડળી અને ગ્રહ દોષ દૂર કરવા માટે પણ શાસ્ત્રોમાં કેટલાક નિયમ જણાવવામાં આવ્યા છે. શાસ્ત્રો પ્રમાણે કુંડળી અને ગ્રહ દોષ દૂર કરવા માટે દરરોજ દહીંનું સેવન કરવું જોઈએ. તેનાથી ગ્રહ દોષ દૂર થાય છે. 

 

જો તમને ધન સંપત્તિની કોઈ સમસ્યા છે તો તે માટે દરરોજ દહીંમાં અત્તર નાખી સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે. 

 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ શુભ કાર્ય માટે ઘરમાંથી બહાર નિકળવા સમયે દહીં ખાવુ જોઈએ. તે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. માન્યતા છે કે તેનાથી કાર્યમાં સફળતા મળે છે. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link