રાશિફળ 17 મે : આ રાશિના જાતકો માટે શુભ છે આજનો દિવસ, કાર્યોમાં મળશે સફળતા, થશે ધન લાભ

Wed, 17 May 2023-6:59 am,

ગણેશજી કહે છે, વ્યવસાયને લગતી તમારી કાર્યપ્રણાલીમાં જે પરિવર્તન આવ્યું છે કે ઉત્પાદન ક્ષમતામાં નફો કરશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પતિ-પત્ન વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થઇ શકે છે. આર્થિક રૂપથી થોડી મુંજવણ અને સમસ્યાઓ ઊભી થઇ શકે છે.

ગણેશજી કહે છે, ધનની લેવડ-દેવડમાં કોઇના ઉપર પણ વિશ્વાસ રાખવાથી નુકસાન થઇ શકે છે. બદલાતા વાતાવરણથી સાવધાન રહો. ઘણાં સમય પછી મિત્રોને મળવાથી બધા લોકો સુખ અને ઉમંગ અનુભવ કરશે. આજે વ્યવસાયને લગતા દરેક કામ વિના વિઘ્ન સંપન્ન થતાં જશે.  

ગણેશજી કહે છે, શેરબજાર, સટ્ટા વગેરે જેવા કાર્યોથી દૂર રહો. સ્વાસ્થ્ય ઠીક રહેશે. કોઇ રાજનૈતિક કે સામાજિક કાર્યક્રમમાં જવાનો અવસર મળી શકે છે જે તમારા માટે લાભદાયક સાબિત થશે. તમારો વ્યવસાયિક દૃષ્ટિકોણ, કાર્યક્ષેત્રમાં અનેક મામલાઓ ઉકેલવામાં સક્ષમ રહેશે.

ગણેશજી કહે છે, જો વ્યવસાયને લગતું જ કોઇ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો તેને સર્વોપરિ રાખો. જો કોઇ વારસાગત સંપત્તિને લગતો મામલો ચાલી રહ્યો છે તો તેનું સમાધાન પણ મળવાની શક્યતા છે. ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજે પારિવારિક કાર્યોને મહત્ત્વ આપો.

ગણેશજી કહે છે, કાર્યસ્થળમાં કામનું દબાણ જળવાયેલું રહેશે. તમારી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત જાળવી રાખો. માનસિક સુકૂન માટે થોડો સમય કોઇ ધાર્મિક સ્થળ કે એકાંતમાં પસાર કરો. પેમેન્ટ કે અટવાયેલાં રૂપિયાની વસૂલી માટે સમય ઉત્તમ છે. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો.

ગણેશજી કહે છે, વ્યવસાયમાં રિટેલ અને દૈનિક આવક ઉપર વધારે ધ્યાન આપો. સમયમાં આવતા ફેરફારનો પ્રભાવ તમારા બધા કાર્યો ઉપર પડી રહ્યો છે. ક્યારેક તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિ અનુભવ થઇ શકે છે. સમયમાં આવતા ફેરફારનો પ્રભાવ તમારા બધા કાર્યો ઉપર પડી રહ્યો છે.

ગણેશજી કહે છે, તમે તમારી અંદર થોડી અજીબ નબળાઇ તથા ઘૂંટણ અનુભવ કરશો. વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે. ક્યારેક-ક્યારેક પરિસ્થિતિના કારણે તમે કામ ટાળવાની કોશિશ કરશો જેના કારણે નુકસાન થઇ શકે છે. આજના દિવસની શરૂઆત ખૂબ જ પોઝિટિવ રીતે થશે. તમને કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પણ પ્રાપ્ત થવાની છે.

ગણેશજી કહે છે, દિવસની શરૂઆતમાં કોઇ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. કોઇ મિત્ર જ તમારી પરેશાનીનું કારણ બનશે, એટલે દરેક ક્રિયાઓ ઉપર નજર રાખો. પરિવારમાં વાતાવરણ મધુર અને સોહાર્દપૂર્ણ રહેશે. તમારા ભાવી લક્ષ્યો પ્રત્યે યોગ્ય રીતે કામ કરવાથી તમને સફળતા ચોક્કસ મળી શકશે.  

ગણેશજી કહે છે, આજે તમારો દરેક નિર્ણય તમારા પક્ષમાં રહેશે. વ્યવસાયમાં આજે માર્કેટિંગને લગતાં કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. એસિડિટી અને ગેસના કારણે પરેશાની રહેશે. પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહેશે. સમય પ્રમાણે પોતાને પણ બદલવા યોગ્ય છે.

ગણેશજી કહે છે, પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. તમારા મોટાભાગના કામ દિવસના પહેલાં ભાગમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો. કોઇ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. તમે દરેક મુશ્કેલ લક્ષ્યને મહેનત દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

ગણેશજી કહે છે, વ્યવસાયમાં પબ્લિક રિલેશનને લગતાં કાર્યોમાં પોઝિટિવ પરિણામ મળશે. આ સમયે કોઇપણ જોખમી નિર્ણય લેવાથી બચવું. તેમાં ધન અને સમય પણ બરબાદ થઇ શકે છે. કોઇને ઉધાર આપેલાં રૂપિયા આજે પાછા મળી શકે છે. વિપરીત પરિસ્થિતિઓમાં પરિવારનો સંપૂર્ણ સહયોગ તમને મળશે.

ગણેશજી કહે છે, વ્યવસાયિક સ્થળે થોડી મહેનત અને ભાગદોડ જેવી સ્થિતિ રહેશે. કોઇ જૂનો રોગ ફરીથી થઇ શકે છે. ઘરમાં કોઇ માંગલિક કાર્ય, હવન, પૂજન વગેરેને લગતા આયોજનમાં વ્યસ્ત રહેશો. લગ્નસંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે. ખરીદદારી જેવા કાર્યો કરતી સમયે બજેટનું ધ્યાન રાખો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link