Photos : દીકરીએ શહીદ પિતાને સલામી આપી, તો હાજર બધા જ રડી પડ્યા...

Mon, 18 Feb 2019-10:00 am,

શહીદોના પાર્થિવ શરીરને તેમના ઘરે મોકલવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ બીજેપીના તમામ મંત્રીઓ અને સાંસદોને નિર્દેશ કર્યા છે કે, તેઓ પોતાના રાજ્યોમાં  આ જવાનોના અંતિમ સંસ્કાર સમયે ત્યાં હાજર રહે. દહેરાદૂનમાં શહીદ જવાન મોહનલાલનો પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચ્યો હતો. અહીં શહીદની દીકરીએ પિતાને સલામી આપી હતી. આ દ્રશ્યએ ત્યાં ઉપસ્થિત તમામ લોકોને ભાવુક કરી દીધા હતા.

પુલવામા હુમલામા શહીદ થનાર સૌથી વધુ જવાન ઉત્તર પ્રદેશના છે. યુપીના શામલીના શહીદ જવાન પ્રદીપ કુમારની શહાદતના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયું હતું. સ્થાનિક લોકો પરિવારજનોના દુખદ પ્રસંગમાં હાજર થવા પહોંચ્યા હતા. 

બિહારના ભાગલપુરના શહીદ જવાન રતન ઠાકુરનું પાર્થિવ શરીર પટના એરપોર્ટ પર પહોંચ્યો હતો. અહીંથી ચોપર દ્વારા તેમના મૃતદેહને તેમના ગામમાં મોકલવામાં આવ્યો હતો. રતન ઠાકુરના શહાદતના સમાચાર સાંભળતા જ પરિવારના રડી રડીને ખરાબ હાલ થયા હતા. 

પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ ઉત્તર પ્રદેશના વારાણસીના વીર સપૂત રમેશ યાદવના ઘર પર માતમ છવાયેલું છે. તેમની પત્ની રીમા યાદવનો રડી રડીને ખરાબ હાલ થયો છે.

પટનાના મસૌઢીના સંજય સિન્હા પણ આ હુમલામાં શહીદ થયા હતા. સંજય એક સપ્તાહ પહેલા જ રજાથી પરત ડ્યુટી પર ફર્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link