Pics : દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધૂમ, દિલ્હીના ઈસ્કોન મંદિરમાં અંદરનો નજારો આંખો ચકિત કરી દેશે

Wed, 12 Aug 2020-12:33 pm,

વજેન્દ્ર નંદન દાસે જણાવ્યું કે, કોરોના વાયરસની મહામારીની પગલે મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે માર્કિંગ કરવામાં આવ્યું છે. સાથે જ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓને સંક્રમણથી બચાવવા માટે અને તેઓને સેનેટાઈઝ કરવા માટે સેનેટાઈઝ ટનલ લગાવાવમાં આવી છે. મંદિરમાં પ્રવેશ કરનારા તમામ લોકો માટે માસ્ક અનિવાર્ય કરાયા છે.    

ઈસ્કોન મંદિરમાં જે લોકોને આમંત્રિત કરાયા છે, તે લોકોને માત્ર મંદિરના કેમ્પસમાં જ પ્રવેશ આપવામાં આવશે. તો સાથે જ મંદિર દ્વારા ભક્તોને અપીલ કરાઈ છે કે, તેઓ પોતાના ઘરમાં જ રહીને જન્માષ્ટમીની ઉજવણી કરે. 

દિલ્હીમાં જ્યા ભક્તો માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તો નોઈડાના ઈસ્કોન મંદિરમાં આ વખતે ભક્તોને પ્રવેશ આપવામાં નહિ આવ્યો. નોઈડા ઈસ્કોન મંદિરના અધિકારી વ્રજ્જન રંજન દાસે જણાવ્યું કે, કોવિડ 19ને કારણે આ વખતે કોઈ પણ મંદિરમાં પ્રવેશની પરમિશન આપવામાં નથી આવી. ભક્તો માટે મંદિરથી સોશિયલ મીડિયા હેન્ડલ પર આરતી ઓનલાઈન લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link