PM Modi નો ભક્તિરસઃ આ મંદિરોમાં શીશ ઝુકાવવાનો એક પણ મોકો ચૂકતા નથી પ્રધાનમંત્રી મોદી

Fri, 26 Mar 2021-12:21 pm,

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દાયકાઓથી ચાલતા વિવાદનો અંત આવ્યો અને રામજન્મભમિ પર ભવ્ય રામમંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો. ત્યારે હિંદુઓની આસ્થાના પ્રતિકસમા રામજન્મ સ્થળ અયોધ્યામાં પ્રધાનમંત્રી મોદીએ ભૂમિપૂજન કરાવીને રામમંદિરના નિર્માણનો પાયો નાંખ્યો. આ મંદિર સાથે પ્રધાનમંત્રી મોદી સહિત કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે.

જમ્મુ-કાશ્મીરના પહોડામા બિરાજમાન માતા વૈષ્ણો દેવીની યાત્રા પ્રધાનમંત્રી મોદીએ પોતાના જીવનકાળમાં અનેક વખત કરી છે.માં અંબાની જેમ વૈષ્ણદેવીમાં પણ પ્રધાનમંત્રીને અતૂટ વિશ્વાસ છે.આ યાત્રા ખુબ જ કઠીન હોવાથી.પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ વૈષ્ણો દેવીની યાત્રાને સરળ બનાવવા માટેના અનેક કામો કર્યા.જેમાં મુખ્ય કામ કટરા સુધી રેલવે સેવા પહોંચડા શ્રદ્ધાળુઓને વૈષ્ણ દેવીના દર્શન માટે મુશ્કેલી નથી પડતી.પ્રધાનમંત્રી મોદીને પણ માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાનું ખુબ જ પસંદ છે.

રામેશ્વર ધામનો પવિત્ર ચાર ધામની યાત્રામાં સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી મોદી પણ ભગવાન રામના ગુણ અપનાવ્યા છે.ભગવાન રામ પ્રત્ય પ્રધાનમંત્રી મોદીને અતૂટ શ્રદ્ધા છે.ત્યારે રામેશ્વર ધામ પ્રધાનમંત્રી મોદી ખુબ પ્રત્ય છે. અને તેમના બધા કાર્યોમાં પ્રધાનમંત્રી મોદી ભગવાન શ્રી રામનું અનુસુરણ કરે છે.

પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી વર્ષ 2017માં ચારધામ યાત્રાના દ્વાર ખુલ્યા હતા ત્યારે તેઓ ભગવાન શંકરના દર્શન કરવા પહોચ્યા હતા.ભગવાન શિવના ચરણોમાં શિશ ઝુકાવી પૂજા અર્ચના પણ કરી હતી.એટલું જ નહીં 2019માં કેદારનાથની પૂજા અર્ચના કર્યા બાદ 12 હજાર 250 ફૂટ ઉંચાઈ ગુફામાં સાધના પણ કરી હતી.એટલું જ નહીં ગુફામાં જ રાત્રી રોકાણ કર્યું હતું. આમ પવિત્ર ગંગા નદી સહિતના તીર્થ સ્થાનો પ્રધાનમંત્રી મોદીને ખુબ જ પસંદ છે.જ્યારે પણ ભક્તિન મોકો મળે તો પ્રધાનમંત્રી મોદી તેને છોડતા નથી.જેમાં કેટલા તીર્થ સ્થાનો પર જવાનું પ્રધાનમંત્રી મોદીને જવાનું વધારે પસંદ આવે છે.  

ઉત્તર પ્રદેશમાં આવેલું કાશી વિશ્વનાથ ધામ દેશ અને દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અલબત આખીય કાશીનગરી જ એક ધાર્મિક સ્થળ સમાન ગણાય છે. કાશી એટલેકે વારણસી સાથે પીએમ મોદીનો વિશેષ સંબંધ રહ્યો છે. એ જ કારણસર વર્ષ 2014માં તેઓ પહેલીવાર વારાસણીથી લોકસભા ચૂંટણી જીતીને સંસદ ભવનમાં પહોંચ્યા હતાં. શિવની નગરી કાશીઃ પ્રધાનમંત્રી મોદીને શિવની નગરી કાશી પ્રત્ય વિશેષ પ્રેમ છે.ભગવાની શિવના આશિર્વાદ મેળવી કાશીના બનારસથી પ્રધાનમંત્રી મોદી લોકસભાની ચૂંટણી લડી દેશની કમાન સંભાળી છે. ત્યારે પ્રધાનમંત્રી જ્યારે પણ કાશીમાં જાય તો ભગવાન શિવ અને ભૈરો બાબાના મંદિરમાં શિશ ઝુકાવવાનું ચુકતા નથી.

પંજાબ રાજ્યમાં આવેલાં અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જ્યારે પંજાબના પ્રવાસે હોય ત્યારે ગોલ્ડન ટેમ્પલમાં ગુરુદ્વારામાં અચુક પણે શિશ ઝુકાવવા જતા હોય છે. 

રાજનેતાની સાથો-સાથ પીએમ મોદી એક ખુબ જ ધાર્મિક સ્વભાવ ધરાવતા વ્યક્તિ છે. તે વાતનો અંદાજો તેમની ધાર્મિક સ્થળોની મુલાકાતની તસવીરો જોઈને ખ્યાલ આવી જાય છે.

પ્રધાનમંત્રી મોદી શિવ ભક્ત છે. તેથી તેઓ જ્યારે પણ સમય મળે ત્યારે ઉત્તરાખંડની વાદીઓમાં ભગવાન બદ્રીનાથના ધામમાં દર્શન કરવા અચુક આવતા હોય છે.

પ્રધાનમંત્રી મોદી તિરુપતિ બાલાજી મંદિરના દર્શને પણ આવતા હોય છે. વૈંકટેશ સ્વામીના દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવતા હોય છે.

પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી જ સોમનાથ દાદામાં અખુટ શ્રદ્ધા ધરાવે છે. તેઓ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. અને સમયાંતરે તેઓ જ્યારે પણ ગુજરાતના પ્રવાસે હોય છે ત્યારે સોમનાથ મંદિરના દર્શન જરૂર કરતા હોય છે. સોમનાથ મંદિર પ્રધાનમંત્રી મોદી મોટા શિવ ભક્ત છે.તેમને ભગવાન શિવ પ્રત્ય અતૂટ શ્રદ્ધા છે.ત્યારે ભોળાનાથનું નામ આવે અને ગુજરાતનું સોમનાથ યાદ ન આવે એવું તો ન બની શકે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક વખત સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યા છે.સોમનાથ દાદાના ચરણોમાં શિશ ઝુકાવી પૂજા અર્ચના કરતા હતા.એ જ સિલસિલો પ્રધાનમંત્રી બન્યા બાદ પણ જોવા મળ્યો છે.સોમનાથના વિકાસ માટે અનેક કામો કર્યા છે.અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પણ છે પ્રધાનમંત્રી મોદી.

યાત્રાધામો પૈકી મહત્ત્વના ગણાતા ધામ એટલેકે કેદારનાથમાં પણ પ્રધાનમંત્રી મોદી અખુટ શ્રદ્ધા ધરાવે છે. તેઓ જ્યારે પણ આ વિસ્તારના પ્રવાસે હોય તો કેદારનાથના દર્શને જરૂર આવતા હોય છે. લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ પણ તેઓએ કેદારનાથના દર્શન કર્યા હતા.

પ્રધાનમંત્રી મોદી વર્ષોથી આદ્યશક્તિના ઉપાસક રહ્યાં છે. તેઓ નવરાત્રિમાં પણ માત્ર જળ ગ્રહણ કરીને ઉપવાસ કરતા હોય છે. અને તેઓ જ્યારે પણ ગુજરાત આવે અને જો તક મળે તો અંબાજીમાતાના ધામમાં દર્શન કરવા જરૂર જાય છે. જેટલી શ્રદ્ધા ભગવાન શંકરમાં છે તેટલી જ પ્રધાનમંત્રી મોદીને મા અંબામાં છે. જ્યારે પણ તેમને મોકો મળે ત્યારે મા અંબાના ધામમાં શિશ ઝુકાવવાનું ભૂલતા નથી. ગુજરાતના બનાસકાંઠાનાં આવેલું છે મા અંબાનું અંબાજી ધામ.નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અંબાજીમાં શક્તિપીઠની સ્થાપના કરી હતી.અને અંબાજીના વિકાસમાં પણ તેમનો મોટો ફાળો રહ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link