30 વર્ષ બાદ ધનતેરસ અને દિવાળી પર શનિ બનાવી રહ્યાં છે અદ્ભુત સંયોગ, 3 રાશિઓની થશે બલ્લે-બલ્લે

Sat, 26 Oct 2024-6:36 pm,

ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે તો દિવાળીના તહેવારની ઉજવણી 31 ઓક્ટોબરે કરવામાં આવશે. આ બંને દિવસે શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં હશે. આવો સંયોગ દિવાળી અને ધનતેરસ પર આશરે 30 વર્ષ પહેલા બન્યો હતો. શનિના કુંભ રાશિમાં હોવાથી ધનતેરસ અને દિવાળીનું પર્વ કેટલાક જાતકોના જીવનમાં સકારાત્મક પરિણામ લાવી શકે છે. આ રાશિઓ કરિયર-કારોબારથી લઈને પારિવારિક જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. 

તમારા માટે શનિ દેવની સ્થિતિ ખુબ શુભ ફળયાદક સાબિત થઈ શકે છે. ખાસ કરીને આ રાશિના વેપારીઓને મોટો નફો દિવાળી દરમિયાન થઈ શકે છે. તમારી ઈચ્છાઓ પણ આ દરમિયાન પૂરી થશે અને સામાજિક સ્તર પર સારા પરિણામ મળશે. માતા-પિતાનો પણ તમને ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. યોજનાબદ્ધ રીતે તમે આ દરમિયાન કોઈ કાર્ય શરૂ કરી શકો છો જે ભવિષ્યમાં તમને લાભ અપાવશે. શનિ દેવ તમારા સારા કર્મોનું શુભ પરિણામ આ સમયમાં આપશે. આ સાથે મોટા ભાઈ-બહેન સારા માર્ગદર્શકના રૂપમાં તમારો સાથ આપતા જોવા મળશે. જીવનનો આનંદ ઉઠાવવા માટે સુંદર જગ્યા પર ફરવા નિકળી શકો છો. 

કરિયરમાં ચાર ચાંદ ધનતેરસ બાદ તમારા જીવનમાં લાગી શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં તમે કરેલી મહેનતનું પરિણામ મળશે. શનિ દેવ નવી તક તમારા જીવનમાં લાવશે. આ રાશિના બેરોજગાર જાતકોને નોકરી મળવાની સંભાવના છે. દિવાળી બાદનો સમય કરિયરની દ્રષ્ટિએ ખુબ સારો સાબિત થઈ શકે છે. પિતાની સાથે સમય પસાર કરવાની તક મળશે અને તેની પાસેથી નવું શીખવા મળશે. વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રીત થશે, શિક્ષણના ક્ષેત્રમાં સિદ્ધિઓ વિદ્યાર્થીઓ મેળવી શકે છે. નાણાકીય મામલામાં તમારે સલાહ લેવી જોઈએ, તેનાથી સાચી રણનીતિ સાથે તમે આગળ વધી શકો છો. 

શનિ તમારી રાશિના સ્વામી છે અને દિવાળી, ધનતેરસ પર જે સંયોગ આ વખતે શનિ બનાવી રહ્યાં છે તેનાથી તમને શાનદાર લાભ મળી શકે છે. તમે નાણાની બચત કરી શકશો. સાથે પૈતૃક કારોબારથી લાભ થશે. તમારા કાર્યક્ષેત્રમાં સ્થિતિ તમારી અનુકૂળ હશે અને કેટલાક લોકો નવેમ્બર મહિનામાં પ્રમોશન મેળવી શકે છે. પારિવારિક જીવનમાં સુખ-સમૃદ્ધિ જોવા મળશે. આ દરમિયાન તમારા વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. તમારી વાણીમાં મિઠાસ રહેશે અને આ સમય દરમિયાન સમાજમાં તમારી છબીમાં સુધાર આવશે. 

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link