Dilip Joshi: પ્લે, શો બંધ થઈ જતા બની ગયા બેરોજગાર, આ રીતે ચમકી ગયું જેઠાલાલનું ભાગ્ય

Tue, 16 May 2023-5:21 pm,

આમ તો દિલીપ જોશીને ઈન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકા થઈ ગયા છે પરંતુ તેમને સાચી ઓળખ 2008માં તારક મેહતા શરૂ થયા બાદ મળી છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોએ તેમનું ભાગ્ય બદલી નાખ્યું. 

 

 

હમ આપકે હૈં કોન મેં દિલીપ જોશીએ માધુરી દીક્ષિતના દૂરના ભાઈનો રોલ પ્લે કર્યો હતો. તે સમયે આ ફિલ્મ સુપરહિટ થઈ તો તેમને લાગ્યું હતું કે હવે તેમનું કરિયર ઝડપથી આગળ વધવા લાગશે. 

 

 

આ ફિલ્મ બાદ પણ દિલીપ જોશીને કામ ન મળ્યું. પરંતુ કેટલાક શો મળ્યા અને તેમનું કામ ચાલતું રહ્યું. 2007માં તેમણે જીવનનો ખરાબ સમય જોયો. તે સમયે તેમના પ્લે અને શો બંધ થઈ ગયા હતા. 

 

 

એટલે કે રાતો રાત દિલીપ જોશી બેરોજગાર થઈ ગયા. સમય એવો આવ્યો કે પરિવારનો ખર્ચ ચલાવવો મુશ્કેલ થઈ ગયો હતો. તો કામ શોધી રહ્યાં હતા ત્યારે કોમેડી સર્કસ જેવા શોની ઓફર મળી જેમાં સારા પૈસા પણ મળતા હતા. પરંતુ તેમણે આ ઓફરને ઠુકરાવી દીધી કારણ કે તેમને લાગ્યું કે આ તેમની ઈમેજ પ્રમાણે બરોબર નથી. 

 

 

તે પરેશાન હતા અને એક્ટિંગ સિવાય બીજુ કંઈ કરવાનું વિચારી શકતા નહોતા. ત્યારે ભાગ્યનો સાથ મળ્યો અને તારક મેહતા કા ઉલ્ટા શોમાં કામ કરવાની ઓફર મળી. પછી શું હતું દિલીપ જોશીએ આ તક ઝડપી લીધી.

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link