3 દાયકા બાદ દીવાળી પર દુર્લભ રાજયોગ, આ 3 રાશિવાળાને `કુબેરનો ખજાનો` મળશે, બેંક બેલેન્સમાં થશે બંપર વધારો!

Fri, 04 Oct 2024-4:32 pm,

દેશભરમાં દીવાળીનું પર્વ ધૂમધામથી ઉજવાય છે. દર વર્ષે કારતક માસની અમાસે દીવાળીનું પર્વ ઉજવાય છે. આ વર્ષ દીવાળીના દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે બુધાદિત્યની સાથે સાથે શશ રાજયોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. જ્યારે શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન રહે છે ત્યારે શશ રાજયોગનું નિર્માણ થાય છે. આ સાથે તુલા રાશિમાં બુધ અને સૂર્યની યુતિ થઈ રહી છે. જેનાથી બુધાદિત્ય યોગનું નિર્માણ થાય છે. આ સાથે જ આયુષ્યમાન યોગનું નિર્માણ થાય છે. આ યોગ બનવાથી કેટલીક રાશિના જાતકો પર ખુબ શુભ પ્રભાવ પડશે. કેટલીક રાશિઓ પર મહાલક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. આવામાં આ રાશિવાળાને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થવાની સાથે દરેક કામમાં સફળતા મળી શકે છે. દીવાળી પર બનનારા આ શુભ યોગોથી કોને લાભ થઈ શકે તે ખાસ જાણો. 

મેષ રાશિના જાતકો માટે દીવાળી ખાસ રહેશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને ધનલાભ થવાના યોગ છે. આ રાશિના જાતકો પર શનિદેવની સાથે સાથે સૂર્ય અને બુધની ખાસ કૃપા રહેશે. જેનાથી તેમના જીવનમાં અનેક પ્રકારની ખુશીઓનું આગમન થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વીતશે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. રોકાણનું વિચારતા હોવ તો કરી શકો છો. ભવિષ્યમાં સારું રિટર્ન મળશે. કરિયરમાં સારી તકો મળી શકે છે. અટકેલા કામો એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. બૌદ્ધિક ક્ષમતાઓના દમ પર તમે દરેક મોટી ડીલ સાઈન કરી શકો છો. આ સાથે સટ્ટાબાજી અને લોટરીના માધ્યમથી સારો ધનલાભ થઈ શકે છે. 

વૃષભ રાશિના જાતકો માટે બુધાદિત્ય અને શશ રાજયોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. તમને દરેક કાર્યમાં સફળતા મળી શકે છે. કરિયરની વાત કરીએ તો તમારા દ્વારા કરાયેલી મહેનતનું હવે સારું ફળ મળી શકે છે. આવામાં તમને પદોન્નતિની સાથે સારું ઈન્સેન્ટિવ મળી શકે છે. વેપારના ક્ષેત્રે તમને સારો એવો લાભ થઈ શકે છે. તમારી ક્ષમતાઓના દમ પર અનેક પ્રોજેક્ટ્સ કે ઓર્ડર મેળવી શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેશે. આ સાથે કમાણીની નવી તકો ઊભી થશે. પાર્ટનર  સાથે સારો સમય પસાર કરશો. સવાસ્થ્યમાં પણ સારો એવો લાભ થશે. 

મિથુન રાશિના જાતકો પણ પોતાના દમ પર સારો એવો ધનલાભ મેળવી શકે છે. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધી શકે છે. આવામાં તમે કોઈ ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો છો. તમને સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સંતાનના વિકાસથી તમે ખુશ નજરે ચડી શકો છો. નોકરીની નવી તકો મળી શકે છે. જેના કારણે તમે સંતુષ્ટ નજરે ચડી શકો છો. વેપારના ક્ષેત્રમાં પણ તમને સારો એવો ધનલાભ થઈ શકે છે. સ્ટોકના માધ્યમથી તમે ખુબ લાભ મેળવી શકો છો. તમારા દ્વારા થઈ રહેલી આકરી મહેનત અને સમર્પણથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત  થઈ શકે છે. સ્વાસ્થ્ય શાનદાર રહેશે. 

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link