દિવાળીથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, 500 વર્ષ બાદ બનશે ત્રિપલ રાજયોગ, રાજા સમાન જીવન જીવશે આ રાશિઓ

Tue, 24 Sep 2024-3:46 pm,

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરી શુભ અને રાજયોગ બનાવે છે, જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર સીધી રીતે પડે છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં ત્રણ રાજયોગ બની ગયા છે, જેમાં શનિએ સ્વરાશિ કુંભમાં ગોચર કરતા શશ રાજયોગ બનાવ્યો છે. તો ગ્રહોના રાજકુમાર 23 સપ્ટેમ્બરે પ્રવેશ કરી ભદ્ર રાજયોગ બનાવ્યો છે. સાથે ધનના દાતા શુક્રએ 18 સપ્ટેમ્બરે સ્વરાશિ તુલામાં ગોચર કરી માલવ્ય રાજયોગ બનાવ્યો હતો. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ જાતકોને ધનલાભ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

તમારા લોકો માટે ત્રણ રાજયોગનું બનવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શનિ તમારી રાશિથી ધનમાં ગોચર કરી રહ્યાં છે. સાથે બુધ નવમ ભાવ તો શુક્ર ગ્રહ કર્મ ભાવ પર વિચરણ કરી રહ્યાં છે. તેથી દિવાળીની આસપાસ તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે આ દરમિયાન કામ-કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને કામના સ્થળે નવી જવાબદારી મળી શકે છે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે.  

ત્રણ રાજયોગનું બનવું મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી નવમ ભાવ તો બુધ ગ્રહ ચતુર્થ ભાવ અને શુક્ર ગ્રહ પંચમ ભાવ પર વિચરણ કરી રહ્યાં છે. આ દરમિયાન તમારૂ ભાગ્ય ચમકી શકે છે. સાથે તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. આ સમયે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. સાથે તમને સંતાનથી જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે.   

તમારા લોકો માટે ત્રણ રાજયોગનું બનવું લાભદાયક રહેશે. કારણ કે શનિ દેવ તમારી રાથિથી ત્રીજા ભાવ તો બુધ ગ્રહ કર્મ ભાવ અને શુક્ર ગ્રહ આવક ભાવ પર સંચરણ કરી રહ્યાં છે. આ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ જોવા મળશે. સાથે તમને કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે પારિવારિક જીવન સુખમય રહેશે અને તમને સમૃદ્ધિ પ્રાપ્ત થશે.  

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link