Fenugreek Side Effects: આ 5 સમસ્યા રહેતી હોય તેમણે ન ખાવા મેથી દાણા, બગડી જાય છે તબિયત

Fri, 19 Jan 2024-5:55 pm,

મેથી ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તે દરેક માટે લાભકારી નથી. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે તેનું સેવન ન કરવું જોઈએ.

ઘણા લોકોને શ્વાસ સંબંધિત તકલીફ હોય છે. તેમણે પણ મેથીનું સેવન ન કરવું જોઈએ.

ગર્ભવતી મહિલાઓએ પણ મેથી ખાવાથી દૂર રહેવું જોઈએ. તેની તાસીર ગરમ હોય છે. જેના કારણે તે રક્તસ્રાવની સમસ્યા થઈ શકે છે.

જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ હોય તો પણ તમારે મેથીનું સેવન ન કરવું જોઈએ. તેનાથી ગેસ અને અપચો વધે છે.

ત્વચાની એલર્જીની સમસ્યાથી પીડિત લોકોએ પણ મેથીનું વધુ સેવન ન કરવું જોઈએ. તેનાથી ત્વચામાં બળતરા વધે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link