Oranges: આ 5 બીમારીમાં સંતરાની 1 પેશી પણ ન ખાતા, તબિયત વધારે બગડી જશે
પાચન સંબંધિત સમસ્યાઓ જેમકે એસિડિટી, ગેસ, અપચો હોય તો સંતરા ખાવાનું ટાળવું, સંતરા ખાવાથીથી છાતીમાં બળતરા ઉલટી જેવી તકલીફો થવા લાગે છે.
જે લોકોને કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે પણ સંતરા ખાવાનું ટાળવું જોઈએ. સંતરા ખાવાથી શરીરમાં પોટેશિયમની માત્રા વધી જાય છે અને તે કિડની પર ખરાબ અસર કરે છે.
જે લોકોને સ્કીન સંબંધિત સમસ્યા કે એલર્જી થતી હોય તેમણે પણ સંતરા ખાવાથી બચવું. સંતરા ખાવાથી ત્વચા પર લાલ ડાઘ, ખંજવાળ જેવી તકલીફ થવા લાગે છે.
જે લોકોને છાતીમાં બળતરા ની સમસ્યા થતી હોય તેમણે પણ મર્યાદિત માત્રામાં સંતરાનું સેવન કરવું. તંત્રમાં રહેલું સિટ્રિક એસિડ છાતીની બળતરા વધારી શકે છે.
જે લોકોને પહેલાથી જ કબજિયાતની સમસ્યા હોય તેમણે પણ સંતરા ખાવા નહીં. વધારે માત્રામાં સંતરા ખાવાથી કબજિયાતની ફરિયાદ વધી જાય છે.