નવરાત્રિ પર 3 દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોની ધન-દોલતમાં થશે વધારો

Wed, 11 Oct 2023-1:43 pm,

Shardiya Navratri 2023: આસો મહિનાની એકમથી નવરાત્રિ સરૂ થાય છે અને નવમી તિથિ પર સમાપ્ત થાય છે. નવરાત્રિના આ 9 દિવસ ખુબ પવિત્ર અને સુખ-સમૃદ્ધિ આપે છે. આ વર્ષે 15 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થશે અને 23 ઓગસ્ટે છેલ્લું નોરતું છે. જ્યોતિષ અનુસાર આ વર્ષે નવરાત્રિની શરૂઆત ખુબ શુભ સંયોગથી થઈ રહી છે, જેનાથી કેટલાક જાતકોને નવ દિવસ સુધી શુભ ફળ મળશે. આ વર્ષે નવરાત્રિમાં બુધાદિત્ય યોગ, શશ યોગ અને ભદ્ર રાજયોગ બનવાના છે. આવો જાણીએ તેનાથી કયા જાતકોને લાભ મળશે. 

નવરાત્રિમાં બની રહેલા શુભ સંયોગથી વૃષભ રાશિના જાતકોને ખુબ લાભ થશે. તમને પૈસા મળશે. આવક વધશે. ધન-સંપત્તિમાં વધારો થશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. નોકરીમાં ઊચું પદ, પ્રતિષ્ઠા મળશે. ધંધો કરનારની પ્રગતિ થશે ઘરમાં ખુશીઓ રહેશે અને સમાજમાં માન-સન્માન વધશે. 

કર્ક રાશિના જાતકો માટે નવરાત્રિમાં બની રહેલો દુર્લભ સંયોગ વિદેશમાં નોકરી મેળવવાનું સપનું પૂરુ કરી શકે છે. તમને દરેક કામમાં સફળતા મળશે. આર્થિક તંગી દૂર થશે અને આવકમાં વધારો થશે. 

આ નવરાત્રિ તુલા રાશિના જાતકો માટે ખુબ શુભ છે. આ લોકોનું ભાગ્ય ચમકી જશે. કાર્યસ્થળ પર માન-સન્માન વધશે. પ્રગતિની તક મળશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છો. જીવનના દરેક ક્ષેત્રમાં આવતી મુશ્કેલી દૂર થશે અને તમે સફળતાના માર્ગ પર આગળ વધશો.   

મકર રાશિના લોકો માટે આ નવરાત્રિ ભાગ્યોદય કરશે. તમારા જીવનમાં સારા દિવસો શરૂ થશે. જીવનમાં તમામ સંકટ દૂર થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધન લાભનો યોગ બનશે. નોકરી-વેપારમાં ખૂબ પ્રગતિ થશે. 

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link