Ekta Kapoor ને કારણે ચમકી ગઈ આ 10 અભિનેત્રીઓની કિસ્મત, એક તો અત્યારે મોદી સરકારમાં મંત્રી છે!

Wed, 21 Jul 2021-1:10 pm,

સ્મૃતિ ઈરાની એક સમયે ટીવીનું ખ્યાતનામ કલાકાર હતી. આજે ભલે તે રાજનીતિમાં હોય, પરંતુ સ્મૃતિને ક્યોંકી સાસ ભી કભી બહુથીની તુલસીના રોલમાં આજે યાદ કરવામાં આવે છે. આ શોથી સ્મૃતિ ઈરાનીની લોકપ્રિયતા વધી હતી. વર્ષો સુધી સ્મૃતિ ઈરાનીએ આ શોમાં કામ કર્યું હતું.

ઉર્વશી ધોળકિયાને આજે પણ કસૌટી ઝિંદગી કીની કોમોલિકા નામથી ઓળખવામાં આવે છે. આ સીરિયલમાં તેનો નેગેટિવ રોલ લોકોને ખુબ પસંદ પડ્યો હતો. કસૌટી ઝિંદકીમાં હિના ખાન અને આમના શરીફે કોમોલિકાનો રોલ નિભાવ્યો, પરંતુ ઉર્વશીના રોલને તેઓ માત ન આપી શક્યા.

કસૌટી ઝિંદગી કીની પ્રેરણા એટલે કે શ્વેતા તિવારીને સૌ કોઈ જાણે છે. અનુરાગ બાસુ અને મિસ્ટર બજાજ સાથે તેની પ્રેમ કહાણીનો ટ્રેક ખુબ ચાલ્યો હતો. આ શોથી તેમને બહું લોકચાહના મળી. કસૌટી ઝિંદગી કી 2 સિરીયલ ટેલીકાસ્ટ થઈ પરંતુ તેમા શ્વેતા તિવારી જેવી છાપ એરિકા ફર્નાન્ડિશ છોડી શકી નહીં.

શ્રીતિ ઝા આમ જોવા જઈએ તો અનેક શો કરી ચુકી છે. પરંતુ એક્તા કપૂરની સીરિયલ કુમકુમ ભાગ્યથી તેની કિસ્મત જાણે એકદમ ચમકી ઉઠી. શબ્બીર આહલૂવાલિયા સાથે તેની જોડી લોકોને ખુબ જ પસંદ પડી. શ્રૃતિ ઝાની આ સીરિયલમાં છેલ્લા 7 વર્ષથી સૌની લોકપ્રિય સીરિયલમાંથી એક છે.

સાક્ષી તંવરે સીરિયલ કહાની ઘર ઘર કીથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પગલું ભર્યું હતું. આ શોથી સાક્ષીને ફેમ મળ્યું. સાક્ષીએ સંસ્કારી વહુ પાર્વતિ અગ્રવાલનો રોલ નિભાવી ભારે લોકચાહના મેળવી. આ સીરિયલથી તેમણે લોકોનું દિલ જીતી લીધું.  

કસમ સે સીરિયલથી પ્રાચી દેસાઈને ખુબ લોકપ્રિયતા મળી. પ્રાચી દેસાઈની રામ કપૂર સાથે જોડી લોકોને ખુબ પસંદ પડી હતી. બાનીનો રોલ ઘરે ઘરે પ્રખ્યાત થયો હતો. પ્રાચીએ ટીવી બાદ ફિલ્મોમાં પણ સારા રોલ નિભાવ્યા છે.  

મૌની રૉયે પોતાના કરિયરની શરૂઆત ક્યોંકી સાસ ભી કભી બહુ થી સાથે કરી હતી. આ સીરિયલમાં તેણે ક્રિષ્ના તુલસીની ભૂમિકા નિભાવી હતી. જો કે આ રોલથી તેને એટલી લોકચાહના મળી નથી. પરંતુ 2015માં આવેલી નાગિન સીરિયલથી લોકોએ તેનો રોલ પસંદ પડ્યો. આ શો બાદ મૌની પ્રસિદ્ધીની નવી શિખર પર પહોંચી ગઈ. આજે લોકો મૌનીની બોલીવુડ ફિલ્મોને પણ પસંદ કરી રહ્યાં છે.

અંકિતા લોખંડેએ પવિત્ર રિશ્તામાં અર્ચના દેશમુખનો રોલ નિભાવી શરૂઆત કરી. આ તેમની ડેબ્યૂ સીરિયલ હતી. આ સીરિયલમાં અર્ચનાનો રોલ લોકોને ખુબ પસંદ પડ્યો. આજે પણ લોકો અંકિતાને અર્ચનાના રૂપથી જાણે છે. અંકિતા આગામી દિવસોમાં પવિત્ર રિશ્તા 2માં અર્ચનાના રોલમાં જોવા મળશે.

અનીતા હસનંદાની એક્તા કપૂરની એક સારી મિત્ર છે. આ અભિનેત્રીને કભી સૌતન કભી સહેલીથી નામના મળી. ત્યારબાદ અનીતા અનેક સીરિયલોમાં જોવા મળી. કાવ્યાંજલિ, નાગિનમાં તેની ભૂમિકા લોકોને ખુબ પસંદ પડી હતી.

આમના શરીફનો કહી તો હોગા સીરિયલમાં રોલે લોકોના દિલમાં સ્થાન મેળવ્યું. આ રોલથી આમના શરીફની લોકચાહના વધી. આ શો ત્યારના સમયે ખુબ હીટ રહ્યો હતો. વર્ષો બાદ આમનાએ કસૌટી ઝિંદગી કી 2માં કોમોલિકાનો રોલ કરી નામના મેળવી.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link