Maharashtra માં ભારે વરસાદથી પૂર જેવા હાલાત, Bhimashankar Jyotirlinga Temple માં પણ પાણી ઘૂસ્યા, જુઓ PHOTOS

Fri, 23 Jul 2021-11:41 am,

મહારાષ્ટ્રના પુણેમાં ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ છે. અહીં ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર પરિસરમાં વરસાદના પાણી ઘૂસ્યા છે. મંદિરના ગર્ભગૃહ સહિત મંદિર બહાર પણ જળબંબાકારની સ્થિતિ છે. 

મહારાષ્ટ્રના રત્નાગિરિમાં પણ વરસાદનો કહેર જોવા મળ્યો. અહીં રસ્તાઓ પર એટલા પાણી ભરાયા છે કે તેમાં બસો સંપૂર્ણ પણે ડૂબી ગઈ છે. (તસવીર -IANS)

ભારતીય હવામાન ખાતાએ મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવે. વશિષ્ઠી, કોડાવલી,. જગબુડી બાવ, અને શસ્ત્રી સહિત રત્નાગિરિ જિલ્લાની મોટાભાગની નદીઓ પૂરના કારણે જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. જેના કારણે ચિપલૂન, લાંજા, ખેડ, સંગમેશ્વર, અને રાજાપુરમાં પૂરની સ્થિતિ છે. (તસવીર -IANS)

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ નજીકના  બદલાપુર વિસ્તારમાં ગુરુવારે ભારે વરસાદના કારણે રહેણાંક વિસ્તારોની પાસે વરસાદના પાણી ભરાયેલા જોવા મળ્યા. (તસવીર- PTI)

મુંબઈમાં ભારે વરસાદના કારણે સમુદ્રમાં ઊંચી લહેરો ઊઠી, અને કિનારા સાથે અથડાતી જોવા મળી. આ દરમિયાન સમુદ્ર કિનારે ચાલી રહેલા નિર્માણ કાર્યમાં પણ વિક્ષેપ પડ્યો. (તસવીર-ANI)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link