Gangajal: ઘરમાં તમે રાખો છો ગંગાજળ? તો ખાસ વાંચો આ અહેવાલ, નહીં તો પસ્તાશો

Thu, 24 Dec 2020-2:50 pm,

મોટાભાગના લોકો ગંગાજળ પ્લાસ્ટિકની બોટલમાં ભરીને રાખે છે. જે ખોટું છે. ગંગાજળને હંમેશા ચાંદી કે તાંબાના વાસણમાં જ ભરીને રાખવું જોઈએ. 

ગંગાજળનો ઉપયોગ પવિત્ર કામોમાં થાય છે. આથી તમે તમારા ઘરમાં જે જગ્યાએ ગંગાજળ રાખ્યું હોય ત્યાં માંસ અને દારૂનું સેવન ભૂલેચૂકે ન કરતા. 

ઘરના ઈશાન ખુણા(North East) ને દેવતાઓનું સ્થાન ગણવામાં આવે છે. આથી ગંગાજળ હંમેશા ઘરની આ દિશામાં જ રાખવું જોઈએ. તે દિશામાં રાખવું શુભ ગણાય છે. 

ગંગા નદીની જેમ તેના જળને પણ પવિત્ર ગણવામાં આવે છે. ગંગાજળને ઘરમાં ગમે  ત્યાં રાખવું અશુભ મનાય છે. ગંગાજળ હંમેશા ઘરના પૂજાવાળા સ્થાન પર જ રાખો. 

જો તમે ગંગાજળને કોઈ બીજા રૂમમાં રાખ્યું પણ હોય તો ત્યાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. ગંગાજળને ક્યારેય અશુદ્ધ કે ગંદી જગ્યા પર રાખવું જોઈએ નહીં. 

ગંગાજળને ક્યારેય અંધારાવાળી જગ્યાએ ન રાખો. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે. 

ગંગાજળનો પ્રયોગ કરતા પહેલા હાથને બરાબર ધોઈને સ્વચ્છ કરવા જોઈએ. ભૂલથી પણ ગંગાજળ ગંદા હાથથી ન સ્પર્શવું જોઈએ. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link