Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર 4 યોગનો મહાસંયોગ, ગણપતિ બાપ્પા આ 3 રાશિવાળા પર વરસી પડશે, ધન-સંપત્તિ, સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો થશે

Sat, 07 Sep 2024-8:43 am,

Ganesh Chaturthi 2024 Shubh Yog: ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચતુર્થી એટલે ગણેશ ચતુર્થી. આજના દિવસથી 10 દિવસનો ગણેશ ઉત્સવ શરૂ થાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. એક અન્ય પૌરાણિક કથા દરમિયાન આ 10 દિવસમાં ભગવાન ગણેશે જરાય અટક્યા વગર મહાભારત લખ્યું હતું. જેનાથી તેમના શરીર પર માટી જામી ગઈ હતી  અને તેને હટાવવા માટે તેમણે અનંત ચતુર્દશીના દિવસે નદીમાં સ્નાન કર્યું હતું. ત્યારથી જ 10 દિવસ ગણપતિ સ્થાપના બાદ પ્રતિમાને નદીમાં વિસર્જન કરવામાં આવે ચે. આ વર્ષે ગણેશ ઉત્સવ અનેક શુભ યોગમાં શરૂ થઈ રહ્યો છે. 

આજે ગણેશ ચતુર્થી પર એક કે બે નહીં પરંતુ ચાર ચાર શુભ યોગોનો મહાસંયોગ બની રહ્યો છે. 7 સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશ ચતુર્થી પર બ્રહ્મ યોગ, રવિ યોગ, ઈન્દ્ર યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. આ ઉપરાંત સ્વાતિ અને ચિત્રા નક્ષત્ર પર રહેશે. આ શુભ યોગોમાં ગણેશ ઉત્સવની શરૂઆત ખુબ જ ખાસ રહેશે. જે 3 રાશિવાળાને અપાર સુખ સમૃદ્ધિ અપાવશે. જાણો આ લકી રાશિઓ વિશે...

વૃષભ રાશિના લોકો માટે ગણેશ ચતુર્થી ખુબ જ શુભ છે. તેમના સારા દિવસો શરૂ થશે. દરેક  કામમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. નવી નોકરી મળી શકે છે. વેપાર સારો ચાલશે. ચારેબાજુથી બસ લાભ જ લાભ અને ખુશીઓ મળશે. 

કર્ક રાશિવાળા માટે પણ આ યોગ ખુબ ફળદાયી છે. આજના  દિવસે તમારા પર ગણેશજીની અપાર કૃપા થઈ શકે છે. ધન અને માન સન્માન મળશે. નોકરીયાત વર્ગને પણ ઉન્નતિ મળવાના યોગ છે. 

ગણેશ ચતુર્થી પર કન્યા રાશિવાળાને પણ અપાર લાભ થશે. આવકમાં વધારો થવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે. ઘરમાં સુખ અને શાંતિની સાથે રિદ્ધિ સિદ્ધિનો વાસ થશે.  કરિયરમાં પ્રગતિ થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link