Insects: ભેજના કારણે ચોખા, દાળ કે ઘઉંમાં પડેલી જીવાત કાઢવા ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય, અનાજ તુરંત સાફ થઈ જશે

Wed, 04 Sep 2024-1:07 pm,

દાળ કે ચોખામાં ધનેડા થઈ જાય તો તેમાં આખી હળદરની 4-5 ગાંઠ ડબ્બામાં રાખી દેવી જોઈએ. હળદરની તીવ્ર ગંધથી દાળ, ચોખામાંથી ધનેડા દૂર થઈ જાય છે. 

ભેજના કારણે અનાજ અને દાળ ચોખામાં ધનેડા કે જીવાત થઈ હોય તો તેમાં લસણ અને મૂકી શકાય છે. લસણ રાખવાથી પણ જીવજંતુઓ સાફ થઈ જાય છે. 

વરસાદ પછી જ્યારે તડકો નીકળે ત્યારે દાળ, મસાલા, ચોખા સહિતની વસ્તુઓને તડકામાં રાખવી જોઈએ. તેનાથી ભેજ દૂર થઈ જશે અને જો જીવાત થઈ હશે તો તે પણ નીકળી જશે. 

લોટ, રવો, મસાલા વગેરે વસ્તુઓને એર ટાઈટ ડબ્બામાં રાખો અને તેમાં કડવા લીમડાના સુકાયેલા પાન મૂકી દેવા. 

અનાજમાંથી ધનેડા સહિતના જંતુઓને દૂર રાખવા હોય તો એક કાગળમાં કપૂર બાંધીને તેની પોટલી બનાવી અનાજમાં રાખી દો. કપૂરની સુગંધથી જીવજંતુ હોય તો પણ નીકળી જશે અને અનાજમાં જંતુ પડશે પણ નહીં.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link