સપ્ટેમ્બરમાં આ 4 જાતકોનું ભાગ્ય ચમકી જશે, ગ્રહોના શુભ સંયોગથી બની જશો ધનવાન, કરિયરમાં મળશે મોટી સફળતા

Fri, 23 Aug 2024-3:23 pm,

વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. જેનો શુભ-અશુભ પ્રભાવ મેષથી લઈને મીન સુધીની 12 રાશિઓ પર પણ પડે છે. વર્ષ 2024નો સપ્ટેમ્બર મહિનો ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. આ મહિનામાં કન્યા રાશિમાં ગ્રહોનો મેળો લાગવાનો છે. જેનાથી ઘણા શુભ સંયોગનું નિર્માણ થશે અને કેટલાક જાતકોના જીવનમાં જોરદાર ફેરફાર આવસે. દૃક પંચાગ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં સૌથી પહેલા 4 સપ્ટેમ્બરે ગ્રહોના રાજકુમાર બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરશે પછી 23 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ગોચર કરશે. 16 સપ્ટેમ્બરે સૂર્યદેવ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. તો કન્યા રાશિમાં શુક્ર ગ્રહ 25 ઓગસ્ટથી બિરાજમાન રહેશે અને 18 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે. માયાવી ગ્રહ કેતુ વર્ષ 2023થી કન્યા રાશિમાં બિરાજમાન છે અને તે આ વર્ષે રાશિ પરિવર્તન કરશે નહીં. સપ્ટેમ્બર મહિનામાં શુક્ર, બુધ, સૂર્ય અને કેતુના આવવાથી દુર્લભ ચતુગ્રહી યોગનું નિર્માણ થશે. જેનાથી કેટલાક જાતકોને જોરદાર લાભ થશે. સપ્ટેમ્બરનો મહિનો તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે અને જીવનમાં ખુશીઓનું આગમન થશે. આવો જાણીએ કન્યા રાશિમાં ચતુર્ગ્રહી યોગથી કયાં જાતકોનું ભાગ્ય ચમકશે?

સપ્ટેમ્બરથી મેષ રાશિના જાતકોની દરેક ચિંતાઓ દૂર થશે. ધન લાભનો પ્રબળ યોગ બનશે. કરિયરમાં પ્રગતિની તક મળશે. જીવન સુખ-સુવિધાઓમાં પસાર થશે. પ્રેમ-સંબંધોમાં મધુરતા આવશે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે. પૈતૃક સંપત્તિથી ધનલાભ થશે. નોકરી કરનાર જાતકોને સારા પેકેજ સાથે નવી નોકરીની ઓફર મળી શકે છે. 

સપ્ટેમ્બરમાં ચતુર્ગ્રહી યોગ સિંહ રાશિના જાતકોના જીવનમાં ચમત્કારિક ફેરફાર લાવશે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. નોકરી-કારોબારમાં પ્રગતિનો યોગ બનશે. વેપારમાં વિસ્તાર થશે. પારિવારિક જીવનમાં ખુશીનો માહોલ રહેશે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. આવકના નવા સ્ત્રોતથી ધનલાભ થશે. વ્યાવસાયિક સ્થિતિ મજબૂત બનશે.  

ચતુર્ગ્રહી યોગ કન્યા રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. જૂના રોકાણથી સારૂ રિટર્ન મળશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. ધનલાભનો પ્રબલ યોગ બનશે. જીવનમાં જે ઈચ્છશો તેમાં સફળતા મળશે. આ દરમિયાન તમારા દરેક સપના સાકાર થશે.  

સપ્ટેમ્બર મહિનામાં ધન રાશિના જાતકોના અટવાયેલા કામ થવા લાગશે. જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. કરિયરમાં મોટી સપળતા મળશે. લગ્ન જીવનમાં ખુશીનો માહોલ રહેશે. વિદેશમાં જોબ કરવાની ઓફર મળી શકે છે. ભાગીદારીમાં બિઝનેસ કરવાથી જોરદાર લાભ થશે. ભાઈ-બહેન સાથે સંબંધ મધુર થશે. પારિવારિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે.  

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link