પહેલાં મતદાન પછી જાન : ઘરેથી નીકળેલા જાનૈયા વરરાજાને લઈને સીધા મતદાન બૂથ પહોંચ્યા

Sun, 21 Feb 2021-9:10 am,

અમદાવાદના થલતેજ વોર્ડ નંબર 8માં ઘોડે ચઢીને એક વરરાજા આવ્યા હતા. અમદાવાદ મનપાની ચૂંટણીમાં મતદારોને પ્રેરણા આપતો કિસ્સો જોવા મળ્યો. પહેલાં મતદાન પછી બીજા કામ તે જ રીતે આ પરિવારે પહેલાં મતદાન પછી જાન એવુ સૂત્ર અનાવ્યું હતું. 

અમદાવાદના બારોટ પરિવારે પહેલા મતદાન કર્યું પછી જાન કાઢી હતી. વરરાજા ધનરાજ બારોટે પહેલાં મતદાન કર્યું પછી ઘોડે ચઢીએ જાન માટે નીકળ્યા હતા.   

બારોટ પરિવારે આ વિશે કહ્યું કે, મત એ આપણો અધિકાર છે. મતદાન કરવા માટે પહેલાથી જ પ્લાન બનાવ્યો હતો. આજે ચૂંટણી હોઇ મતદાન કરવાનું હોઇ અને લગ્નનું મુહૂર્ત પણ સાચવવાનું હોઇ ઘરેથી વહેલા નીકળ્યા હતા.

આખી જાને મતદાન કરીન લોકોને અપીલ કરી હતી કે, તમામ મતદારો મત અવશ્ય આપે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે જ વ્યસ્તતા વચ્ચે મતદાનનો સમય નીકાળ્યો છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link