સ્ટેચ્યુ ઓફ યુનિટી: બસમાં CM, સાયકલ પર DGP અને ગુજરાતના IAS કરી રહ્યાં છે રિવરરાફ્ટિંગ

Sat, 20 May 2023-8:15 pm,

ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વોલ્વો બસમાં કેવડિયા પહોંચ્યા હતા. આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કારના બદલે મુખ્યમંત્રી અને મંત્રીઓ બસમાં ચિંતન શિવર પહોંચ્યા.

ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) વિકાસ સહાયે સાયકલ ચલાવીને કેવડિયામાં સવારની મજા માણી હતી.

નર્મદા નદીને રેવા પણ કહેવામાં આવે છે. કેટલાક યુવા અધિકારીઓએ રિવર રાફ્ટિંગનો રોમાંચ પણ લીધો હતો.

ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પણ કેવડિયાની મુલાકાત લીધી હતી.

ગુજરાત સરકારના વરિષ્ઠ IAS અધિકારીઓએ થોડી મજાક મસ્તી કરી અને મોર્નિંગ વોકમાં રિચાર્જ થયા હતા.

ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (વચ્ચે) અને ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત સાથે પોપટને કંઈક ખવડાવતા.

બીજા દિવસે અધિકારીઓએ કેવડિયાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ગ્રુપ ફોટો પણ લેવામાં આવ્યો હતો. તેમાં લૌહપુરૂષની સૌથી ઊંચી પ્રતિમા દેખાય છે.

ચિંતન શિવિરના બીજા દિવસે સવારે અધિકારીઓએ યોગ કર્યા હતા. આ પછી તેઓ કેવડિયાના પ્રવાસે ગયા હતા.

ચિંતન શિવિરના પ્રથમ દિવસે સાંજે મુખ્યમંત્રીએ નર્મદા આરતીમાં ભાગ લીધો હતો અને ગુજરાતની સુખ-સમૃદ્ધિની કામના કરી હતી.

મુખ્યમંત્રીની ટીમ સાથે જિલ્લાના કલેક્ટર પણ ચિંતન શિબિર પહોંચ્યા છે. દરેક વ્યક્તિએ આ સત્રોમાં ગંભીરતાથી હાજરી આપી હતી.

ચિંતન શિબિરમાં, પાંચ મુદ્દાઓ ખાસ કરીને મંથન માટે નક્કી કરવામાં આવ્યા છે. આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા કેવી રીતે ઘટાડવી? શિબિરની શરૂઆત બાદ તજજ્ઞોએ સત્ર લીધું અને પછી પ્રશ્નોના જવાબો પણ આપ્યા.

ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મેં નહીં હમના અભિગમથી શાસનમાં ઘણો બદલાવ આવ્યો છે. તેના પરિણામો સારા આવ્યા છે. ગણિતના પરિણામોની જેમ. તેમણે કહ્યું કે ગુજરાત દરેક ક્ષેત્રે આગળ છે, તેથી વિકાસનો લાભ સૌને મળવો જોઈએ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link