શું ગુજરાતમાં આ વર્ષે ચોમાસું જ નથી? વાવાઝોડાએ ખોરવી નાંખી સિસ્ટમ, જાણો ચોમાસા માટે કેટલી જોવી પડશે રાહ

Sat, 24 Jun 2023-11:08 am,

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીનું ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના સેવવામાં આવી છે. ભેજના કારણે વરસાદની શક્યતા રહેલી છે.

તેમણે ઉમેર્યું હતું કે, બંગાળની ખાળીમાં સર્ક્યુલેશન બની રહ્યું છે, તેના પર હવે નજર મંડરાયેલી છે. બીજી બાજુ અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. અમદાવાદમાં આગામી બે દિવસમાં તાપમાન યથાવત રહેશે, ત્યારબાદ બે ડીગ્રી ઘટી શકે છે. હાલ અમદાવાદમાં 37 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, મોન્સૂન અત્યારે દક્ષિણ ભારતમાં છે, અને હાલની સ્થિતિની વાત કરીએ તો ચોમાસું ઓડીશા પહોંચ્યું છે. જેથી ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી સત્તાવાર ચોમાસાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. સાથે જ કેટલીક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.

તેમણે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. તેની હલચલ પર હવામાન વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. તેની હલચલને જોતાં જ દક્ષિણ-પૂર્વના ચોમાસાની ગતિવિધિ જાહેર કરાશે. મોટાભાગે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતમાં છે. 

જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, દાહોદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલ આવી રહેલા પશ્ચિમ-દક્ષિણપશ્ચિમી પવનોને લીધે ભેજનું પ્રમાણ વધારે છે. સાથે જ લોવર લેવલે પવનની ગતિ સ્ટ્રોંગ હોવાને લીધે વરસાદની સંભાવના છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link