ફરવા માટે ગુજરાતનું આ લોકેશન છે સાવ નવુ, ગરમીમાં પણ હિમાલયની ઠંડીનો અહેસાસ કરાવી દેશે

Sat, 09 Apr 2022-9:08 am,

વલસાડથી 6 કિમી દૂર આવેલો પારનેરાનો ઐતિહાસિક ડુંગર ધાર્મિક અને પ્રવાસન સ્થળ તરીકે મહત્વ ધરાવે છે. જેની ત્રિજીયામાં 113.71 હેકટર વન વિસ્તાર ફેલાયેલો છે. એટલે કે સર્વત્ર હરિયાળી છવાયેલી રહે છે. ડુંગર પર લગભગ 15મી સદીનો વિશા‌ળ પેશ્વાઇ કિલ્લો જોવાલાયક છે. કિલ્લાની દક્ષિણે આવેલી નાઠાબારી તરીકે ઓળખાતી જગ્યાએથી સુરત ઉપર ચઢાઇ કરીને પરત ફરી રહેલા શિવાજી પસાર થયા હતા, તેવી લોકવાયકા છે. અહીનું મહાકાળી મંદિર ખુબ જાણીતું અને ચમત્કારિક મનાય છે.

વલસાડ તાલુકાના સુપ્રસિદ્ધ ધાર્મિક પ્રવાસન સ્‍થળ પારનેરા ડુંગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા ફાળવાયેલી ગ્રાન્‍ટમાંથી જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા રૂા.1.46  કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયુ છે. 

પારનેરા ડુંગરની ટોચ પર ચંડીકા માતા, અંબિકા માતા, નવદુર્ગા અને મહાકાળી માતાજીના મંદિર આવેલાં છે. અહીં વર્ષમાં બે વખત ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. આ ઉપરાંત દર માસની પૂનમે દર્શનાર્થીઓ માટે ભંડારો રાખવામાં આવે છે.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link