ગુજરાતના આ ઐતિહાસિક સ્થળને એવુ આકર્ષક બનાવ્યું કે તેના પરથી નજર ન હટે, Photos
મુંબઇના ઇન્ફ્રાટ્રકચર ક્ષેત્રેના જાણીતાં શાપુરજી પાલનજી ગ્રુપ દ્વારા આ પવિત્ર ધામનું રિનોવેશન કરાયું છે. 125 વર્ષ જૂની આ ઈમારત મરામત માંગી રહી હતી, જે રંગરોગન બાદ હવે ગુજરાતનું આકર્ષણનું કેન્દ્ર બની ગયુ છે.
અહી દેશવિદેશમાં રહેતા પારસીઓની અવરજવર રહે છે. જેથી તેને ખાસ અંદાજમાં અદ્યતન બનાવાયુ છે. જોકે, તેના પારસી મૂળની ડિઝાઈન અને પરંપરા યથાવત રાખવામા આવી છે. આ રિનોવેશન કામગીરીમાં ઇટાલિયન માર્બલ, બર્માનું સાગ, વલસાડી સાગ તેમજ જયપુરના પથ્થરનો ઉપયોગ કરાયો છે.