18 ફૂટ ઊંચા હનુમાન, મહાભારત સમયના અવશેષો, સદીઓ જૂના આ મંદિરનું મહત્વ શ્રાવણમાં વધી જાય છે

Sun, 31 Jul 2022-8:54 am,

શ્રાવણ માસ હોવાથી પંચમહાલ જિલ્લાના છેવાડે પ્રકૃતિની ગોદમાં આવેલા જાંબુઘોડાના ઝંડ હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. આ સ્થળ મહાભારત સાથે જોડાયેલું છે. મહાભારત કાળના ઇતિહાસની પૌરાણિક ગાથા અને પુરાવા સાથે સંકળાયેલા ઝંડ હનુમાન મંદિરમાં રાજ્ય અને રાજ્ય બહારના હજારો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાઈને આવે છે.   

અહીં શ્રાવણ માસમાં શનિવારે મોટી સંખ્યામાં ભક્તો આવતાં હોય છે અને દાદાના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા સાથે પ્રકૃતિની અનેરો આનંદ પણ માણતા હોય છે. સાથે અહીંના પ્રખ્યાત અને સ્વાદિષ્ટ મકાઈના રોટલા સાથે શાક ઉપરાંત અડદની દાળના વડાની લિજ્જત પણ માણે છે.

આ મંદિર પ્રાચીન હોવાની સાથે અનેક ખાસિયતોથી ભરેલું છે. ઝંડ હનુમાનજીની પ્રતિમા એક જ પથ્થરમાં બનેલી છે. જે 18 ફૂટની ઉંચાઈ ધરાવે છે અને દેશભરમાં હનુમાજીની આ માત્ર એક જ પથ્થરમાંથી બનેલી ઉંચી પ્રતિમા હોવાનું કહેવાય છે. 

આ ઉપરાંત અહીં પાંડવોના વનવાસ કાળ દરમિયાનના અવશેષો જોવા મળે છે. જેમાં ભીમની ઘંટી અને અર્જુને બાણ થકી દ્રૌપદી માટે પાણીની વ્યવસ્થા કરી હતી એ કૂવો પણ છે. ઝંડ હનુમાન દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતાં હોવાથી કેટલાક ભક્તો અહીં દર શનિવારે આખા ડબ્બા તેલનો અભિષેક પણ કરતાં હોય છે અને દૂર દૂર થી દર્શન માટે દર શનિવારે આવતાં હોય છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link