12 વર્ષ બાદ ગુરૂ બૃહસ્પતિ મિથુન રાશિમાં કરશે પ્રવેશ, નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો, દરેક કામમાં મળશે સફળતા

Sat, 07 Sep 2024-3:57 pm,

દેવતાઓના ગુરૂ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. ગુરૂને નવગ્રહોમાં ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુરૂ વિલાસતા, માન-સન્માન, સુખ-સમૃદ્ધિ, ધન-વૈભવ વગેરેના કારક માનવામાં આવે છે. તેવામાં ગુરૂના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં લાંબા સમય સુધી રહે છે. જ્યોતિષ સાસ્ત્ર અનુસાર ગુરૂ બૃહસ્પતિ એક રાશિમાં આશરે એક વર્ષ રહે છે. તેવામાં તેણે એક રાશિમાં બીજીવાર આવવામાં 12 વર્ષનો સમય લાગે છે. મહત્વનું છે કે આ સમયે ગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં બિરાજમાન છે અને આ રાશિમાં રહેવાના છે. વર્ષ 2025ના મે મહિનામાં તે રાશિ પરિવર્તન કરી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધની રાશિમાં આવવાથી ગુરૂનો પ્રભાવ અનેક ગણો વધી શકે છે. આવો જાણીએ ગુરૂ બૃહસ્પતિના મિથુન રાશિમાં જવાથી કયાં જાતકોને વિશેષ લાભ મળી શકે છે.   

આ રાશિમાં ગુરૂ મિથુન રાશિમાં પ્રવેશ કરી ત્રીજા ભાવમાં રહેવાના છે. તેવામાં મેષ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. નવો બિઝનેસ શરૂ કરવા માટે આ સારો સમય સાબિત થઈ શકે છે. સાથે ગુરૂની કૃપાથી વિદેશ જવાની તક મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. કોઈ મોટો પ્રોજેક્ટ કે ઓર્ડર મળી શકે છે. મેષ રાશિના જાતકોને પોતાના મિત્રો અને પરિવારનો સાથ મળશે. આ સિવાય કરિયરના ક્ષેત્રમાં પણ તમને લાભ મળી શકે છે. ગુરૂની કૃપાથી તમને પ્રમોશન મળી શકે છે, સાથે પગારમાં વધારો થઈ શકે છે. પરંતુ સ્વાસ્થ્યને લઈ સાવચેત રહેવાની જરૂર છે.

આ રાશિના લગ્ન ભાવમાં ગુરૂ પ્રવેશ કરશે. તેવામાં આ રાશિના જાતકોના જીવનમાં અનુકૂળ પ્રભાવ પડશે. લાંબા સમયથી અટવાયેલા કામ ફરી શરૂ થઈ શકે છે. ગુરૂદેવની દ્રષ્ટિ પંચમ, સપ્તમ અને નવમ ભાવમાં હશે. તેવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થઈ શકે છે. લગ્નનો યોગ બની રહ્યો છે. દાંપત્ય જીવનમાં ચાલતી સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. સમાજમાં માન-સન્માનમાં વધારો થઈ શકે છે. વેપારમાં પ્રગતિની યોગ બની રહ્યો છે. તમને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. સંતાન તરફથી ખુશખબર મળી શકે છે. 

આ રાશિમાં ગુરૂ અગિયારમાં ભાવમાં બિરાજમાન રહેશે. કરિયરના ક્ષેત્રમાં હોવાને કારણે તમને ખુબ લાભ મળવાનો યોગ બની રહ્યો છે. તમારા કામની પ્રશંસા કરવામાં આવશે. આ સાથે તમારા પ્રમોશનનો યોગ પણ બની રહ્યો છે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. લવ લાઇફના મામલામાં વૃદ્ધિ જોવા મળી શકે છે. સંતાનની પ્રગતિ થશે. આ સાથે જે દંપત્તિ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી રહ્યાં છે, તેને લાભ થઈ શકે છે. પૈતૃક સંપત્તિ મળવાનો યોગ બની રહ્યો છે. આ સાથે અચાનક ગુપ્ત ધનની પ્રાપ્તિ થઈ શકે છે. લગ્ન જીવન સારૂ રહેશે.

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link