દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!

Fri, 20 Sep 2024-7:28 pm,

દેવતાઓના ગુરુ નવગ્રહમાં ખુબ મહત્વપૂર્ણ ગ્રહ ગણાય છે. આવામાં ગુરુ બૃહસ્પતિના રાશિ પરિવર્તનની અસર 12 રાશિઓની સાથે સાથે દેશ દુનિયામાં જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ ગુરુ વૃષભ રાશિમાં બિરાજમાન છે. રાશિની સાથે સાથે સમયાંતરે ગુરુ નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. આવામાં ગુરુના નક્ષત્ર પરિવર્તનને પણ ખુબ ખાસ મનાય છે.  તેની અસર દરેક રાશિના લોકો પર જોવા મળે છે. ગુરુ દીવાળી બાદ નક્ષત્ર પરિવર્તન કરશે અને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. ગુરુના નક્ષત્ર પરિવર્તનની અસર કેટલાક રાશિના જાતકોના જીવનમાં ખુબ પડવાની છે. ગુરુ બૃહસ્પતિના રોહિણી નક્ષત્રમાં જવાથી કઈ રાશિઓને મળશે સૌથી વધુ લાભ તે જાણો.   

વૈદિક પંચાંગ મુજબ ગુરુ ચંદ્રમાના નક્ષત્ર રોહિણી નક્ષત્રમાં દીવાળી બાદ એટલે કે 28 નવેમ્બરે બપોરે 1.10 કલાકે પ્રવેશ કરશે અને આ નક્ષત્રમાં વર્ષ 2025 સુધી રહેશે. નક્ષત્ર મંડળના 27 નક્ષત્રોમાંથી ચોથું નક્ષત્ર રોહિણી ગણાય છે. આ સાથે જ આ નક્ષત્રના સ્વામી ચંદ્રમા છે. 

આ રાશિના લગ્ન ભાવમાં ગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોને પણ વિશેષ લાભ મળશે. આ રાશિના જાતકોને સમાજમાં માન સન્માન, પદ પ્રતિષ્ઠા મળી શકે છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. જેનાથી લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે સાથે ખુબ ધનલાભ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. કરિયરના ક્ષેત્રમાં ખુબ લાભ મળવાના યોગ ની રહે છે. નોકરીની અનેક ઓફર મળી શકે છે. આ સાથે જ તમારા કામને જોતા પદોન્નતિની સાથે પગારમાં પણ વધારો થઈ શકે છે. લાંબા સમયથી અધૂરી રહેલી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. આધ્યાત્મ  તરફ તમારો ઝૂકાવ વધારે રહેશે. આવામાં દાન પુણ્ય કરી શકો છો. 

ગુરુ ચંદ્રમાના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કરીને સિંહ રાશિના જાતકોના બારમા ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોને પણ ખુબ લાભના યોગ બને છે. આકસ્મિક ધનલાભની સાથે સાથે ખુબ ખુશીઓ પણ આવશે. કરિયર ક્ષેત્રે ખુબ લાભ મળશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. બિઝનેસના ક્ષેત્રની વાત કરીએ તો કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માટે સારો સમય છે. રોકાણનું વિચારતા હોવ તો આ સમયગાળામાં કરી શકો છો. તેનાથી તમને વધુ ફાયદો થઈ શકે છે. વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા હોય તો તમારા દ્વારા કરાયેલી આકરી મહેનતના કારણે તમને સફળતા મળી શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. 

તુલા રાશિના આઠમા ભાવથી ગુરુ ગોચર કરશે. ચંદ્રમા કર્મભાવના સ્વામી છે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. ધન ધાન્યમાં વધારો થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આર્થિક સ્થિતિ સારી રહી શકે છે. ધન ભેગુ કરવામાં પણ સફળ રહી શકો છો. કાર્યસ્થળમાં પણ તમારા કામની પ્રસંશા થશે. તમારા કામને જોતા નવી જવાબદારી સોંપાઈ શકે છે. આ સાથે જ પગાર વધારાના યોગ પણ બની રહ્યા છે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે.   

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link