દિવાળી પહેલા ગુરૂની વક્રી ચાલ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે અઢળક વધારો, મળશે વિશેષ લાભ

Tue, 01 Oct 2024-4:22 pm,

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂ બૃહસ્પતિને દેવતાઓના ગુરૂનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેવામાં ગુરૂ નવગ્રહમાં ખુબ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે, જે એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. ગુરૂને વિલાસતા, માન-સન્માન, સુખ-સમૃદ્ધિ વગેરેનો કારક માનવામાં આવે છે. આ સાથે ગુરૂના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિઓ પર લાંબા સમય સુધી રહે છે, કારણ કે ગુરૂ એક વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે. તેવામાં એક રાશિમાં બીજીવાર આવવામાં ગુરૂને 12 વર્ષનો સમય લાગે છે. તમને જણાવી દઈએ કે ગુરૂ જલ્દી વૃષભ રાશિમાં વક્રી થવાના છે. ગુરૂના વક્રી થવાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે. આવો જાણીએ ગુરૂની ઉલ્ટી ચાલ ચાલવાથી કયા જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.  

દૃક પંચાગ અનુસાર ગુરૂ બૃહસ્પતિ 9 ઓક્ટોબર 2024ના સવારે 10 કલાક 1 મિનિટ પર વૃષભ રાશિમાં વક્રી થઈ રહ્યાં છે. આગામી વર્ષે 4 ફેબ્રુઆરી 2025ની બપોરે 1 કલાક 46 મિનિટ સુધી આ સ્થિતિમાં રહેશે. ત્યારબાદ માર્ગી થઈ જશે.

આ રાશિના જાતકો માટે ગુરૂનું વક્રી થવું લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના ષષ્ઠ ભાવમાં ગુરૂ રહેવાના છે. તેવામાં ધન રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ધનલાભ મળી શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. આ સાથે જીવનમાં ખુશીઓ આવી શકે છે. બિઝનેસમાં લાભ મળવાનો છે. તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણથી સારૂ રિટર્ન મળી શકે છે. કાર્યસ્થળમાં ગુરૂની કૃપાથી દરેક તમારા કામની પ્રશંસા કરશે. આ સાથે તમારા કામને જોતા તમને કોઈ મોટી જવાબદારી કે પ્રમોશન મળી શકે છે. 

આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. આકસ્મિક ધનલાભનો યોગ બની રહ્યો છે. કરિયરમાં પ્રગતિ સાથે પગાર વધારો થઈ શકે છે. સુખ-સમૃદ્ધિ વધશે. પરિવાર સાથે સમય પસાર થશે. નોકરી કરનાર જાતકોના કામની પ્રશંસા થશે. આ સાથે કાર્યક્ષેત્રમાં સફળતા સાથે પ્રમોશન મળી શકે છે. જીવનમાં તમે સંતુષ્ટ જોવા મળશો. 

આ રાશિના જાતકો માટે ગુરૂનું વક્રી થવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થશે. જીવનમાં આર્થિક સ્થિતિ મજબૂત થશે. કમામી માટે નવા માર્ગ ખુલી શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. વેપારમાં નવા પડકાર આવી શકે છે, પરંતુ તમે તેને પાર પાડી લેશો. આધ્યાત્મ તરફ ઝુકાવ વધારે રહેશે. આ સાથે સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે. લાંબા સમયથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ સમાપ્ત થશે. સંતાન તરફથી ખુશીઓ મળી શકે છે.

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link