અક્ષરધામ નિવાસી સોખડા હરિધામના હરિપ્રસાદ સ્વામીજી મહારાજની દિવ્યલીલાની દિવ્ય તસવીરો જુઓ

Tue, 27 Jul 2021-10:37 am,

હરિપ્રસાદ સ્વામીજીના અક્ષરવાસ માટે કિડનીની બીમારી નિમિત્ત બની. લાંબા સમયથી તેમની સારવાર ચાલતી હતી.

હરિપ્રસાદ સ્વામીજી મહારાજે 87 વર્ષની વયે દિવ્યલીલા સંકેલી અને અક્ષરવાસી થયા.

હરિપ્રસાદ સ્વામીજીને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે દિક્ષા આપેલી.

હરિપ્રસાદ સ્વામીજીનું 56 વર્ષનું સંતજીવન રહ્યું. તેમના અક્ષરવાસથી ભાવુક થયા ભક્તો.

હરિપ્રસાદ સ્વામીજી મહરાજે યુગકાર્યના સુવર્ણજયંતિ વર્ષમાં વિદાય લીધી. હરિપ્રસાદ સ્વામીજી પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા.

યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હરિચરણ થયા. સ્વામીજીની જાણીતા કથાકાર ભાઈશ્રી રમેશ ઓઝા સાથેની એક યાદગાર તસવીર.

મંગળવાર 27 જુલાઈ એટલે કે આજથી શનિવાર 31 જુલાઈ સુધી અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવશે. હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે દેશ-વિદેશથી હજારો ભક્તો દર્શન માટે આવશે. પ્રદેશ વાઈઝ દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરવામાં આવ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link