Dates And Ghee: આ 5 સમસ્યા હોય તો આજથી જ ઘી અને ખજૂર ખાવાનું શરુ કરી દો, પછી દવા નહીં કરવી પડે

Thu, 03 Oct 2024-12:58 pm,

આયુર્વેદ અનુસાર ઘી અને ખજૂર ઊર્જાના સારા સ્ત્રોત છે. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. આયુર્વેદ અનુસાર ઘી કફ અને વાત દોષને શાંત કરે છે અને ચિંતા તેમજ અનિંદ્રાથી રાહત આપે છે. તેની સાથે ખજૂર ખાવામાં આવે તો શરીરને અનેક ફાયદા થાય છે. 

જે લોકોને પાચનની સમસ્યા હોય અને કબજિયાત રહેતી હોય તેમણે રૂટીનમાં ઘી અને ખજૂરનો સમાવેશ કરવો જોઈએ તેનાથી ડાયજેશન સારું રહે છે. 

ખજૂરમાં ઘણા બધા પોષક તત્વ અને વિટામિન્સ હોય છે જો તમે ઘીમાં ખજૂર બોળીને ખાવ છો તો રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે અને બદલતા વાતાવરણમાં પણ તબિયત બગડતી નથી. 

ઘી અને ખજૂરનું મિશ્રણ ત્વચાને સૌથી વધુ ફાયદો કરે છે. ઘી અને ખજૂર ત્વચાને પોષણ આપે છે અને હાઇડ્રેટ રાખે છે તેનાથી ત્વચાની ચમક વધે છે અને વધતી ઉંમરની નિશાનીઓ દેખાતી નથી. 

ઘી અને ખજૂરમાં હેલ્થી ફેટ હોય છે તે બ્રેન હેલ્થને ફાયદો કરે છે. ઘી અને ખજૂર મેમરી વધારે છે. તેનું સેવન નિયમિત કરવાથી મગજ તેજ થાય છે. 

જે લોકોનું શરીર હદ કરતાં વધારે પાતળું હોય અને તેમને વજન વધારવું હોય તો ઘી અને ખજૂર ખાવા જોઈએ. ઘી અને ખજૂર શરીરનું વજન હેલ્ધી રીતે વધારે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link