દૂધમાં મિક્ષ કરીને ખવડાવો આ 5 વસ્તુઓ, કોમ્પ્યુટર કરતા ફાસ્ટ ચાલશે તમારા બાળકનું મગજ!

Thu, 04 Apr 2024-10:43 am,

બાળકોના આહારમાં દરરોજ દૂધનો સમાવેશ કરવો જોઈએ. જો તમે તેમના આહારને યોગ્ય રીતે જાળવો છો, તો તમારા બાળકનું મન ખૂબ જ શાંત અને સાર્પ બને છે. ભારતના પ્રખ્યાત પોષણ નિષ્ણાત નિખિલ વત્સે કહ્યું કે બાળકોને દરરોજ સવારે દૂધમાં ત્રિફળા પાવડર મિક્ષ કરીને પીવડાવવો જોઈએ. તેનાથી પેટની તકલીફો થતી નથી.

મધ સાથે દૂધ ભેળવીને પીવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે અને શરીર વધુ મજબૂત બને છે. દરરોજ તેનું સેવન કરવાથી તે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.

 

બાળકોને દૂધની સાથે અખરોટનું સેવન પણ કરાવવું જોઈએ. તેનાથી બાળકોના મગજનો વિકાસ ઝડપી થાય છે. અખરોટમાં મોટી માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારા મગજને તેજ બનાવવા માટે તમારે તેનું સેવન કરવું જોઈએ.

 

બાળકોને નિયમિત દૂધમાં ખજૂર નાંખીને પીવડાવવાથી તેમની હેલ્થ એકદમ તંદૂરસ્ત રહે છે. તેઓ શરીરથી મજબૂત બાંધાના બને છે. ખજૂરમાં પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. શરીરમાં આયર્નની ઉણપ પણ તેનાથી દૂર થાય છે. 

બાળકોને રોજ બદામ ખવડાવવાથી તેમનું મગજ વધુ સાર્પ બને છે. તેમની યાદ શક્તિ વધે છે. તેથી શક્ય હોય તો તેને દૂધની સાથે બદામનો ક્રશ કરીને નિયમિત પીવાની આદત પાડવી જોઈએ. તેનાથી શરીર પણ મજબૂત બને છે.

 

 

Disclaimer: प्रिय पाठक, हमारी यह खबर पढ़ने के लिए शुक्रिया. यह खबर आपको केवल जागरूक करने के मकसद से लिखी गई है. हमने इसको लिखने में घरेलू नुस्खों और सामान्य जानकारियों की मदद ली है. आप कहीं भी कुछ भी अपनी सेहत से जुड़ा पढ़ें तो उसे अपनाने से पहले एक्सपर्ट की सलाह जरूर लें.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link