Photos : ધોધમાર વરસાદથી અમદાવાદની હાલત બગડી, બીજા દિવસે સવારે પણ પાણી ન ઓસર્યાં

Tue, 18 Aug 2020-8:50 am,

આંકડા પર નજર કરીઓ તો, અમદાવાદમાં સવારે 6થી રાત્રે 12 સુધીમાં સરેરાશ 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉત્તર અને પૂર્વ ઝોનમાં સરેરાશ 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો. મેમકો, ચકુડિયા, ઓઢવ, વિરાટનગરમાં સરેરાશ 4 ઈંચ વરસાદ નોંધાયો. તો નરોડા અને મણિનગર સહિતના વિસ્તારમાં સરેરાશ 4 ઈંચ વરસાદ ખાબક્યો.   

ભારે વરસાદને પગલે મોડી રાતે વાસણા બેરેજના કુલ 5 ગેટ 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા. 22, 23, 24, 27 અને 28 નંબરના દરવાજા ખોલી 10,400 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.

અમરાઈવાડી ભાઇપુરામાં આવેલી 7 ડે સ્કુલની પાછળ એક મકાનની છત પડી હતી. જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. ભારે વરસાદ વચ્ચે રાત્રે 10.15 કલાકે આ બનાવ બન્યો હતો. અમદાવાદ પૂર્વમાં આવેલ અમરાઈવાડી વિસ્તારના શિવાનંદ નગરના ઘરમાં પાણી ભરાયા હતા. 

મોડી રાત્રે ખાબકેલા વરસાદમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ પાણી ભરાયા હતા. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું હતું. હાટકેશ્વર રિગરોડ અમરાઈવાડીથી સેવન ડે સુધી વરસાદી પાણી ભરાતા આગળ વધી રહ્યા હતા. તો મણિનગર ગોરના કુવા માર્ગ પર વરસાદી પાણી ભરાવાની શરુઆત થઈ હતી. કેનાલમા પણ પાણી વધુ માત્રામા જઈ રહ્યુ હતું. તો સીટીએમની અનેક સોસાયટી નીચાણવાળી હોવાથી ત્યાં પણ પાણી ભરાયા હતા. ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના વિસ્તારોમા પાણી ભરાયા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link