Diabetic Patients: ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં ન ખાવી જોઈએ આ વસ્તુઓ, વધી શકે છે સુગર લેવલ

Mon, 08 Apr 2024-8:15 am,

ડાયાબિટીસના દર્દીઓએ શું ખાવું અને શું ના ખાવું તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જાણીતા ડાયેટિશિયન આયુષી યાદવે કહ્યું કે તમારે નાસ્તામાં ફ્રૂટ જ્યૂસનો સમાવેશ ન કરવો જોઈએ, તેના સેવનથી તમારું શુગર લેવલ વધી શકે છે. જે તકલીફનો સબબ બની શકે છે.

સવારે નાસ્તો કરવાથી આપણું શરીર આખો દિવસ ફિટ રહે છે અને શરીરમાં કોઈ સમસ્યા જોવા મળતી નથી. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે આ વસ્તુ ઝેર સમાન છે. ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ બ્રેડ, રોટલી અને મીઠી વસ્તુ ના ખાવી જોઈએ.

 

ડાયાબિટીસના દર્દીઓએ સવારે ચા કે કોફીથી બચવું જોઈએ નહીં તો શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નાસ્તામાં ચા પીવાથી તમને ઘણું નુકસાન થાય છે.

ડાયાબિટીસના દર્દીઓએ તેમના નાસ્તામાં મીઠી વસ્તુઓનું સેવન બિલકુલ ના કરવું જોઈએ. તેના સેવનથી તમારા શરીરમાં શુગરની માત્રા વધી શકે છે. તેનાથી તમારી તકલીફમાં વધારો થશે.

જેને ડાયાબિટીસ હોય તેણે હાઈ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતી વસ્તુઓથી દૂર જ રહેવું જોઈએ. ઘઉં, દાળ કે રોટલી ના ખાઓ એ જ સારું. જો તમે ઈચ્છો તો તમારા નાસ્તામાં ઈંડા, માછલી અને બદામનો સમાવેશ કરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link