12 માળનું ભવ્ય જહાજ ભંગાણ માટે અલંગ પહોચ્યું, તેમાં હાઈફાઈ મોલ કરતા પણ છે જોરદાર સુવિધાઓ

Tue, 27 Sep 2022-11:55 am,

એમ.વી સિંગા નામનું અને આધુનિક સવલતો ધરાવતું 12 માળનું એક ક્રુઝ જહાજ ભાવનગરના અલંગ ખાતે ભંગાણ માટે આવતા મંદીના માહોલ વચ્ચે ફરી આશાનું કિરણ ફૂટી નીકળ્યું છે. આ ક્રુઝ જહાજમાં અતિ આધુનિક સવલતો મોજુદ છે, જે ભંગાવા માટે અલંગના મધદરિયે આવી પહોંચ્યુ છે.

અલંગના પ્લોટ નં.15 અનુપમા સ્ટીલ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવેલા એમ.વી. સિંગા જહાજનું જૂનુ નામ ઝેનિથ હતું,  22158 મેટ્રિક ટન વજન ધરાવતા આ 12 માળના ક્રુઝ જહાજમાં મુસાફરો માટે 5સ્ટાર હોટલ જેવી સગવડો મોજુદ છે. આ જહાજ 208 મીટર લાંબુ અને 29 મીટર પહોળું છે, તથા તેની ઉંડાઇ 24 મીટર છે.

એમ.વી સિંગા ક્રુઝ જહાજને 30 વર્ષ પહેલા વર્ષ 1992માં મુસાફરો માટે તરતું મુકવામાં આવ્યું હતું. મુસાફરો માટે ડાન્સ કલબ, 4 રેસ્ટોરન્ટ, 1360 મુસાફરોનો સમાવેશ થઈ શકે તે માટે આધૂનિક કેબિન, શોપિંગ મોલ, સ્વીમિંગ પૂલ, ઝાકૂઝી, જીમ, સ્પા, ચિલ્ડ્રન પ્લે એરિયા, સ્પોર્ટ્સ સેન્ટર, મેડિકલ સેન્ટર સહિતની સગવડતાઓ આ ક્રુઝ જહાજ સિંગા (ઝેનિથ) માં મોજૂદ છે. 

અલંગના પ્લોટ નં.15 અનુપમા સ્ટીલ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવેલા એમ.વી. સિંગા જહાજનું જૂનુ નામ ઝેનિથ હતું,  22158 મેટ્રિક ટન વજન ધરાવતા આ 12 માળના ક્રુઝ જહાજમાં મુસાફરો માટે 5સ્ટાર હોટલ જેવી સગવડો મોજુદ છે. આ જહાજ 208 મીટર લાંબુ અને 29 મીટર પહોળું છે, તથા તેની ઉંડાઇ 24 મીટર છે.

આ જહાજના ચાર માલિકો બદલાયા તો સાથે આધૂનિક સગવડતાઓ પણ ઉમેરવામાં આવી હતી, તેમજ સમયસર તેની મરામત પણ કરાવવામાં આવતી હતી. પરંતુ સમય જતાં તેને અંતિમ સફરે મોકલી દેવામાં આવ્યું અને આ જહાજ હાલ અલંગ ખાતે ભંગાણ માટે ભાવનગરના મધદરિયે આવી પહોંચ્યું છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link