House Insects: ઘરમાં અડ્ડો જમાવી રહેતા માખી, વંદા, ગરોળી, ઉંદરથી પરેશાન છો ? તો જાણો તેને ભગાડવાના ઉપાયો

Sun, 21 Jul 2024-12:32 pm,

જો તમારા ઘરમાં ઉંદરથી તમે પરેશાન છો તો પિપરમિંટના ટુકડા ઘરના ખૂણાઓમાં રાખી દો. વધારે ઉંદર હોય તો અઠવાડિયામાં 3 થી 4 વખત આ ઉપાય કરો.

વરસાદી વાતાવરણમાં માખી સૌથી વધુ ત્રાસ કરે છે. માખીથી મુક્તિ મેળવવી હોય તો ઘરમાં સ્વચ્છતા રાખવી અને સાથે તીવ્ર સુગંધવાળા તેલમાં રુ પલાળી તેને ઘરની અલગ અલગ જગ્યાએ રાખી દો. 

વંદા સૌથી વધુ રસોડામાં જોવા મળે છે. તેને ભગાડવા માટે લસણ, ડુંગળી અને કાળા મરીની પેસ્ટ બનાવી આ પેસ્ટને પાણીમાં ઉમેરી એ બધી જગ્યાએ છાંટી દો જ્યાં વંદા સૌથી વધુ આવતા હોય. 

ઘરમાં ફરતી ગરોળીઓને ભગાડવી હોય તો મોરના પીંછાને દિવાલ પર લગાવી દો. જ્યાં મોરનું પીંછુ હોય છે ત્યાં ગરોળી ફરકતી પણ નથી. 

એક વાટકીમાં કેરોસીનમાં લીમડાનું તેલ અને કપૂરનો પાવડર મિક્સ કરો. હવે તેમાં વાટ મુકી દીવો કરી દો. આ દીવાથી મચ્છર દુર ભાગી જશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link