રુંવાડા ઉભા કરી દેતી ઘટના! નવજાત બાળકીને ખાડામાં દાટીને મરવા છોડી દીધી

Mon, 30 Sep 2024-3:54 pm,

સુરેન્દ્રનગરમાં માનવતા મરી પડી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં ક્રુર માતાએ બાળકીને તરછોડી હતી. પરંતું બાળકીને જે રીતે તરછોડાઈ હતી, તે જોઈને ભલભલાના રુંવાડા ઉભા થઈ જાય. ધ્રાંગધ્રાના હરીપર ગામે ત્યજી દીધેલી બાળકી મળી આવી હતી. આ બાળકી જમીનમાં દટાયેલી હાલતમાં હતી. બાળકી શ્વાસ લઈ શકે તે માટે તેનો ચહેરો દાટેલો ન હતો. 

સુરેન્દ્રનગર જિલ્લામાં રાક્ષસને પણ શરમાવે તેવું માણસે કૃત્ય કરતા લોકોમાં ફિટકારની લાગણી વરસી રહી છે. અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવિત મળતા ચકચાર મચી છે. ધ્રાંગધ્રાના હરિપર ગામની સીમમાં માલધારી પશુ ચરાવવા ગયા ત્યારે તેમને બાળકીના રડવાનો અવાજ આવ્યો હતો.

માલધારીઓએ નજીક જોઈને જોયુ તો તેઓ પળવારમાં ધ્રુજી ગયા હતા. બાળકીને ખાડામાં દાટી ઉપર પથ્થર મૂકી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બાળકીને માટીમાંથી કાઢીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી.   

જનેતાના નામને કલંકિત કરતો આ કિસ્સો છે. ચોંકાવનારી બાબત એ છે કે, જિલ્લામાં એક સપ્તાહમાં બીજી ત્યજી દેવાયેલી બાળકી મળી આવી છે. પરંતું આવુ કરવાની હિંમત કોની ચાલી હશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link