Rain Insects: વરસાદ પછી બારી-દરવાજા ખુલ્લા રાખશો તો પણ ઘરમાં નહીં ઘુસે પાંખવાળી જીવાત, કરી લો આ 1 કામ

Thu, 01 Aug 2024-1:42 pm,

જીવજંતુઓ ત્યાં જ વધારે આવે છે જ્યાં સાફ-સફાઈનો અભાવ હોય. વરસાદ પછી ઘરને સાફ રાખો. દિવસમાં બેથી ત્રણ વખત ફિનાઈલના પોતા કરી લો. જે વસ્તુઓ વારંવાર ખરાબ થતી હોય તેને ફીનાઇલ વડે સાફ કરો. આમ કરશો તો વરસાદી તુઓ ઘરમાં આવશે જ નહીં. 

વરસાદ પછી લાઇટની આસપાસ જીવજંતુઓ વધારે ફરકવા લાગે છે. આ જંતુઓને ઘરમાં આવતા અટકાવવા હોય તો બારી દરવાજામાં નેટ લગાવી દેવી જોઈએ. નેટનો ઉપયોગ કરવાથી બારી દરવાજા ખુલ્લા પણ રાખી શકો છો અને ઘરમાં જીવજંતુઓને આવતા પણ અટકાવી શકાય છે.

વરસાદ પછી નીકળતી પાંખવાળી જીવાતને ઘરમાંથી દૂર કરવી હોય તો કડવો લીમડો અને તુલસીના પાન ઉપયોગી સાબિત થશે. આ બંને વસ્તુમાં કીટાણુનાશક ગુણ હોય છે. લીમડાના તેલનો સ્પ્રે બનાવીને તમે સાંજના સમયે લાઇટની આસપાસ છાંટી દેશો તો જીવજંતુઓ ઘરમાં નહીં આવે. આ સિવાય તમે તુલસીના પાનને બારી દરવાજા પાસે રાખી શકો છો તેનાથી પણ ઘરમાં આવતી જીવાત અટકે છે. 

મીણબત્તીનો ઉપયોગ કરીને પણ તમે પાંખવાળા જંતુઓને દૂર કરી શકો છો. તેના માટે લેવેન્ડરની સુગંધ વાળી કેન્ડલ ઘરમાં અલગ અલગ જગ્યાએ સળગાવો. લેવેન્ડરની સુગંધથી પાંખવાળા જીવજંતુઓ દૂર ભાગે છે. સાંજના સમયે કેન્ડલ ઘરમાં રાખવાથી પાંખવાળા જંતુઓ આવતા નથી. 

બોરિક પાઉડર અસરકારક કીટનાશક છે. તે વરસાદી કીડાઓને ઘરથી દૂર રાખવામાં મદદ કરે છે. બારી દરવાજા અને ઘરની આસપાસની દીવાલો પાસે બોરિક પાવડરનો છંટકાવ કરવો. તેનાથી વરસાદી જીવજંતુઓનો ઉપદ્રવ પણ અટકી જશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link