કીધું તું આવશે! આજથી ખેલૈયાઓની બગડી જશે મઝા! આગામી 3 કલાકમાં આ વિસ્તારોને ભીંજવશે મેઘો

Thu, 10 Oct 2024-11:50 am,

ગુજરાતના નવરાત્રિના પર્વમાં હવે વરસાદ વિલન બન્યો છે. 7 નોરતા શાંતિમય પસાર થયા બાદ હવે આઠમા નોરતાથી વરસાદની એન્ટ્રી થઈ છે. સાતમા નોરતે લગભગ 10 જેટલા જિલ્લાઓમાં વરસાદ ત્રાટક્યો હતો. તો કેટલાક જિલ્લામાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવે બાકીના નોરતા સો ટકા બગડવાના છે. કારણ કે, આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.  ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જાહેર કરેલા નાવકાસ્ટ બુલેટીનમાં સુરત અને નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. સવારે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક સુધી રાજ્યમાં વરસાદ વરસી શકે છે. સુરત અને નવસારી જ નહીં, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દિવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા દર્શાવી છે.

નૈઋત્યનું ચોમાસુંમોટાભાગના વિસ્તારોમાંથી વિદાય લઈ ચૂક્યું છે. બીજી બાજુ ઓડિશા, આસામ, મેઘાલય, તટીય કર્ણાટકના વિસ્તારો, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ થયો છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે 3 કલાકનું નાવકાસ્ટ બુલેટિન જાહેર કરીને ખેલૈયાઓની ચિંતા વધારી દીધી છે. ઓક્ટોબર મહિનામાં હવામાનમાં બદલાવ થવાના એંધાણ તો હતો અને વરસાદની પણ શક્યતાઓ હતી. જોકે વરસાદી વાતાવરણ જોવા મળ્યું નથી, પરંતુ આઠમથી ગુજરાતમાં વરસાદી માહોલલ બન્યો છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.. હવામાન વિભાગે તાપી, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, નર્મદા જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે.  

અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક લો પ્રેશર સક્રિય થયું. લો પ્રેશરના કારણે ગુજરાત તરફ ભેજ આવશે. આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. ગાજવીજ સાથે ગુજરાતના અનેક જિલ્લામાંહળવા વરસાદની આગાહી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપીમાં સામાન્ય વરસાદની આગાહી છે. 

અંબાલાલ પટેલે કહ્યું કે, નવરાત્રિમાં આજથી 12 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો 12-13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 14-16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળવાયુ વાતાવરણ રહેશે. 17 ઓકોબરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવવાઝોડું બનવાની શક્યતા છે. 

આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે. અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. જો કે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે, બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દેશના દક્ષિણ ભાગોમાં વરસાદ રહી શકે છે. 16 થી 22 ઓક્ટોબર સુધીમાં  ગુજરાતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે ઝાપટા થઇ શકે છે. તો આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ,હિંમતનગર, સાબરકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. 22 ઓક્ટોબરથી સવારના ભાગોમાં ઠંડકની શરૂઆત થઈ જશે. તેના બાદથી ઠંડી લાગવાની શરૂઆત થશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link