IND VS ENG: ઈંગ્લેન્ડ પર ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, આ 5 ખેલાડી રહ્યાં મેચના હીરો

Sat, 06 Mar 2021-4:48 pm,

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંત ટીમ ઈન્ડિયા માટે સંકટમોચક બનીને સામે આવ્યો. અમદાવાદ ટેસ્ટમાં તેણે માત્ર 118 બોલમાં 13 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા. તેણે સુંદર સાથે સદીની ભાગીદારી કરી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. 

 

 

વોશિંગટન સુંદરે રિષભ પંતની સાથે અને ત્યારબાદ અક્ષર સાથે 100થી વધુની ભાગીદારી કરી. તેણે સંકટમાં રહેલી ટીમ ઈન્ડિયાને બહાર કાઢવા 96 રન બનાવ્યા હતા. 

 

ભારતના દિગ્ગજ સ્પિનર અશ્વિને આ સિરીઝમાં ધૂમ મચાવી. તેણે કુલ 32 વિકેટ પોતાના નામે કરી. તો બેટથી પણ અશ્વિન ગેમ ચેન્જર સાબિત થયો. ચોથી ટેસ્ટમાં અસ્વિને પાંચ વિકેટ સાથે કુલ 8 વિકેટ ઝડપી હતી. 

 

 

અક્ષર પટેલે આ મેચની બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી, જ્યારે મેચમાં કુલ 9 વિકેટ ઝડપી. તો અક્ષરે બેટથી પણ દમદાર પ્રદર્શન કરી 43 રન બનાવ્યા હતા.

 

 

ચોથી ટેસ્ટના બીજા દિવસે જ્યારે ટીમ ઈન્ડિયા પોતાની વિકેટ ગુમાવી રહી હતી ત્યારે રોહિત શર્મા ક્રીઝ પર ઉભો રહ્યો અને તેણે 49 રન બનાવ્યા. રોહિત પોતાની અડધી સદી પૂરી ન કરી શક્યો પરંતુ તેના 49 રન ખુબ ઉપયોગી રહ્યાં.

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link