યુ.કે.ના PM સુનકને ભારતના વિદેશ મંત્રીએ કેમ આપ્યું વિરાટ કોહલીના ઓટોગ્રાફવાળું બેટ?

Mon, 13 Nov 2023-11:18 am,

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર યુકેના 5 દિવસના પ્રવાસે ગયા છે. દરમિયાન, જયશંકર દિવાળીની ઉજવણી કરવા 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે UK PM ઋષિ સુનક સાથે દિવાળીની ઉજવણી કરી. આ અવસર પર જયશંકરે સુનકને ખાસ ભેટ આપી હતી જે હાલમાં ચર્ચાનો વિષય છે.

જાણીએ કે વિદેશ મંત્રી એસ. જયશંકર યુકેના પીએમ ઋષિ સુનકને ખાસ ભેટ સાથે મળવા આવ્યા હતા. દિવાળીના અવસર પર જયશંકરે સુનકને વિરાટ કોહલીના ઓટોગ્રાફ સાથેનું બેટ ભેટમાં આપ્યું હતું. આ ઉપરાંત સુનકને ભગવાન ગણેશની મૂર્તિ પણ ભેટમાં આપવામાં આવી હતી.

10 ડાઉનિંગ સ્ટ્રીટ પરથી સામે આવેલી તસવીરો યુકેમાં દિવાળીની ભવ્ય ઉજવણી દર્શાવે છે. આ દરમિયાન જયશંકર અને સુનક સાથે તેમની પત્નીઓ પણ હાજર હતી. આ ચારેય લોકોએ યુકેમાં ખૂબ જ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી હતી.

સુનકને મળ્યા બાદ એસ. જયશંકરે X પર પોસ્ટ કર્યું હતું કે તેઓ દિવાળીના દિવસે UK PM ઋષિ સુનક તરફથી મળેલા આમંત્રણથી ખુશ છે. મેં વડાપ્રધાન મોદી વતી પણ તેમને શુભકામનાઓ પાઠવી છે. ભારત અને યુકે સંબંધોને ગાઢ બનાવવામાં વ્યસ્ત છે. હું સુનક અને તેની પત્નીના ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય માટે આભાર માનું છું.

ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી એસ. જયશંકર 11 નવેમ્બરે યુકે પહોંચ્યા હતા. તેઓ 15 નવેમ્બર સુધી યુકેમાં રહેશે. UK PM ઉપરાંત તેઓ દિવાળીના કાર્યક્રમ માટે લંડનના સ્વામી નારાયણ મંદિર પણ ગયા હતા. ત્યાં તેમણે યુકેમાં રહેતા ભારતીયોને પણ સંબોધિત કર્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link